Wednesday, March 11, 2026

વૈષ્ણોદેવી સર્કલ પાસે હોટલ હિલ્લોકનો કટનો વિરોધ કરનારા ટોળા સામે ગુનો નોંધાયો

spot_img
Share

અમદાવાદ : વૈષ્ણોદેવી સર્કલથી ઝુંડાલ સર્કલને જોડતા રિંગ રોડ પર આવેલી હોટલ હિલ્લોક સામેનો કટ છેલ્લા કેટલાક સમયથી બંધ કરી દેવાયો છે. બંધ કરેલો કટ ખોલવા સ્થાનિકોએ અનેક વાર રજુઆત કરી છે છતાં કટ ખોલવામાં ન આવતા રહીશોએ કંટાળીને ભેગા થઇને રોડ બ્લોક કરી દીધો હતો.અહીં વિરોધ કરનાર 100થી 150 લોકોએ વોટ્સએપ ગ્રૂપ બનાવીને ગેરકાયદે મંડળી રચીને સરકારી મિલકતને નુકસાન કર્યાની ફરિયાદ નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગત તા.7 ફેબ્રુઆરીએ પણ ટોળાએ આ જ પ્રકારે વિરોધ કરીને સરકારી બેરીકેડ તોડીને નુકસાન પહોંચાડ્યુ હતું. જે બાદ ગત તા. 21 ફેબ્રુઆરીએ પણ આ રીતે વિરોધ કર્યો હતો. મામલો ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચતા આખરે પોલીસે આ તત્ત્વોને શોધી કાઢવા કવાયત તેજ કરી હતી. દરમિયાનમાં આનંદ આઇ લાઇફ સોસાયટીમાં રહેતા રહીશની પોલીસે પૂછપરછ કરતા તેણે 26 સોસાયટીના મેમ્બરોનું નેબર્સ ન્યૂ ત્રાગડ ગ્રૂપ હોવાની કબૂલાત કરી હતી. આ ગ્રૂપમાં રહેલા લોકોએ કટ ખોલવા અંગે વિરોધ કરીને ગેરકાયદે મંડળી રચીને રોડ બ્લોક કરીને વાહનો રોકાવીને અવરોધ ઉભો કરીને સરકારી મિલકતને નુકસાન પહોંચાડ્યુ હોવાનું સામે આવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસે તપાસ કરતા આ ગ્રૂપમાં રહેલા લોકોએ કટ ખોલવા અંગે વિરોધ કરીને ગેરકાયદે મંડળી રચીને રોડ બ્લોક કરીને વાહનો રોકાવીને અવરોધ ઉભો કરીને સરકારી મિલકતને નુકસાન પહોંચાડ્યુ હતું. જેથી, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે આ ટોળા પૈકી જીગર ગજ્જર, વિરાજ મેવાડા, ગુંજન, કિશન કંસાગરા, ચિંતન જોષી, રાહુલ પટેલ, મોહબત ગઢવીની ઓળખ કરી કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...