Sunday, March 15, 2026

અમદાવાદમાં અકસ્માતોની ઘટનાઓ વધી, સિંધુભવન રોડ પાસે કારની ટક્કરે બાઈક ચાલક યુવકનું ઘટના સ્થળે મોત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં હિટ એન્ડ રનની ઘટનાઓ સતત વધી રહી છે. શહેરમાં છેલ્લા બે દિવસમાં ત્રણ અકસ્માતોમાં ચાર લોકોના મોત થયાં છે. આજે શહેરના પોશ વિસ્તારમાં ફરીવાર હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. સિંધુ ભવન રોડ પર તાજ હોટેલ પાસે કાર ચાલકો બાઈક ચાલકને પાછળથી ટક્કર મારતાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. એમ ડિવિઝન પોલીસે કાર ચાલકની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે રાકેશ સોલંકી નામના વ્યક્તિએ એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેમણે કહ્યું હતું કે, આજે એસપી રીંગ રોડ તાજ હોટેલથી ભાડજ સર્કલ તરફ જતાં શીલજનો બ્રિજ ચડતાં તેના નાના ભાઈ જયેશ સોલંકી પોતાનું બાઈક લઈને જતા હતાં. આ દરમિયાન પાછળ બેફામ સ્પીડે આવતી કારે તેમને ટક્કર મારી હતી. જેથી જયેશ નીચે પડી ગયો હતો અને તેને માથામાં તથા શરીરના ભાગો પર ઈજા થતાં તે સ્થળ પર જ મોતને ભેટ્યો હતો.એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઈએ સ્ટાફ સાથે ઘટના સ્થળે જઈને અકસ્માત કરનાર કારના માલિક નંદકિશોરસિંગ પરમારની અટકાયત કરી હતી. તેમજ તેને પણ ઈજા થઈ હોવાથી તેને સોલા સિવિલ ખાતે લાવીને તેની પણ સારવાર કરાવી હતી. પોલીસે તેની કારને પણ કબજે લીધી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

આ અગાઉ ગઈકાલે શહેરમાં ઓઢવ રિંગરોડ પર પામ હોટેલ સામે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. જેમાં કલોલ મોટી ભોયણ અને હાજીપુરના વયોવૃદ્ધ પુરુષ અને વૃધ્ધાને ટ્રકે અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા.અકસ્માત સર્જનાર વાહનચાલક ફરાર થઈ ગયો હતો.ગઈકાલે બીજા અન્ય બનાવમાં અમદાવાદના શાહપુર વિસ્તારમાં સવારે AMTS બસની અડફેટે આવતા 74 વર્ષીય વૃદ્ધ ગુલામ હુસેન અબ્દુલ હુસેન મોમીન નીચે ફટકાયા હતા અને તેમના પરથી બસનું ટાયર ફરી વળ્યું હતું. આ ગંભીર અકસ્માતમાં વૃદ્ધનું ઘટનાસ્થળ જ મોત નિપજ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...