Saturday, November 8, 2025

અમદાવાદમાં અકસ્માતોની ઘટનાઓ વધી, સિંધુભવન રોડ પાસે કારની ટક્કરે બાઈક ચાલક યુવકનું ઘટના સ્થળે મોત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં હિટ એન્ડ રનની ઘટનાઓ સતત વધી રહી છે. શહેરમાં છેલ્લા બે દિવસમાં ત્રણ અકસ્માતોમાં ચાર લોકોના મોત થયાં છે. આજે શહેરના પોશ વિસ્તારમાં ફરીવાર હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. સિંધુ ભવન રોડ પર તાજ હોટેલ પાસે કાર ચાલકો બાઈક ચાલકને પાછળથી ટક્કર મારતાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. એમ ડિવિઝન પોલીસે કાર ચાલકની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે રાકેશ સોલંકી નામના વ્યક્તિએ એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેમણે કહ્યું હતું કે, આજે એસપી રીંગ રોડ તાજ હોટેલથી ભાડજ સર્કલ તરફ જતાં શીલજનો બ્રિજ ચડતાં તેના નાના ભાઈ જયેશ સોલંકી પોતાનું બાઈક લઈને જતા હતાં. આ દરમિયાન પાછળ બેફામ સ્પીડે આવતી કારે તેમને ટક્કર મારી હતી. જેથી જયેશ નીચે પડી ગયો હતો અને તેને માથામાં તથા શરીરના ભાગો પર ઈજા થતાં તે સ્થળ પર જ મોતને ભેટ્યો હતો.એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઈએ સ્ટાફ સાથે ઘટના સ્થળે જઈને અકસ્માત કરનાર કારના માલિક નંદકિશોરસિંગ પરમારની અટકાયત કરી હતી. તેમજ તેને પણ ઈજા થઈ હોવાથી તેને સોલા સિવિલ ખાતે લાવીને તેની પણ સારવાર કરાવી હતી. પોલીસે તેની કારને પણ કબજે લીધી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

આ અગાઉ ગઈકાલે શહેરમાં ઓઢવ રિંગરોડ પર પામ હોટેલ સામે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. જેમાં કલોલ મોટી ભોયણ અને હાજીપુરના વયોવૃદ્ધ પુરુષ અને વૃધ્ધાને ટ્રકે અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા.અકસ્માત સર્જનાર વાહનચાલક ફરાર થઈ ગયો હતો.ગઈકાલે બીજા અન્ય બનાવમાં અમદાવાદના શાહપુર વિસ્તારમાં સવારે AMTS બસની અડફેટે આવતા 74 વર્ષીય વૃદ્ધ ગુલામ હુસેન અબ્દુલ હુસેન મોમીન નીચે ફટકાયા હતા અને તેમના પરથી બસનું ટાયર ફરી વળ્યું હતું. આ ગંભીર અકસ્માતમાં વૃદ્ધનું ઘટનાસ્થળ જ મોત નિપજ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...

ગુજરાતના નવા મંત્રીઓની યાદી આવી સામે, 26 ધારાસભ્યોને મળ્યું મંત્રીમંડળમાં સ્થાન, જુઓ આ રહી યાદી ?

ગાંધીનગર : આજે ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલ સરકારની નવી કેબિનેટનું ગઠન થઇ ગયું છે. જુના મંત્રીઓમાંથી મોટા ભાગના લોકોને પડતા મૂકી અને હવે નવા ચહેરાઓને...