Thursday, January 15, 2026

અમદાવાદમાં અકસ્માતોની ઘટનાઓ વધી, સિંધુભવન રોડ પાસે કારની ટક્કરે બાઈક ચાલક યુવકનું ઘટના સ્થળે મોત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં હિટ એન્ડ રનની ઘટનાઓ સતત વધી રહી છે. શહેરમાં છેલ્લા બે દિવસમાં ત્રણ અકસ્માતોમાં ચાર લોકોના મોત થયાં છે. આજે શહેરના પોશ વિસ્તારમાં ફરીવાર હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. સિંધુ ભવન રોડ પર તાજ હોટેલ પાસે કાર ચાલકો બાઈક ચાલકને પાછળથી ટક્કર મારતાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. એમ ડિવિઝન પોલીસે કાર ચાલકની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે રાકેશ સોલંકી નામના વ્યક્તિએ એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેમણે કહ્યું હતું કે, આજે એસપી રીંગ રોડ તાજ હોટેલથી ભાડજ સર્કલ તરફ જતાં શીલજનો બ્રિજ ચડતાં તેના નાના ભાઈ જયેશ સોલંકી પોતાનું બાઈક લઈને જતા હતાં. આ દરમિયાન પાછળ બેફામ સ્પીડે આવતી કારે તેમને ટક્કર મારી હતી. જેથી જયેશ નીચે પડી ગયો હતો અને તેને માથામાં તથા શરીરના ભાગો પર ઈજા થતાં તે સ્થળ પર જ મોતને ભેટ્યો હતો.એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઈએ સ્ટાફ સાથે ઘટના સ્થળે જઈને અકસ્માત કરનાર કારના માલિક નંદકિશોરસિંગ પરમારની અટકાયત કરી હતી. તેમજ તેને પણ ઈજા થઈ હોવાથી તેને સોલા સિવિલ ખાતે લાવીને તેની પણ સારવાર કરાવી હતી. પોલીસે તેની કારને પણ કબજે લીધી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

આ અગાઉ ગઈકાલે શહેરમાં ઓઢવ રિંગરોડ પર પામ હોટેલ સામે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. જેમાં કલોલ મોટી ભોયણ અને હાજીપુરના વયોવૃદ્ધ પુરુષ અને વૃધ્ધાને ટ્રકે અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા.અકસ્માત સર્જનાર વાહનચાલક ફરાર થઈ ગયો હતો.ગઈકાલે બીજા અન્ય બનાવમાં અમદાવાદના શાહપુર વિસ્તારમાં સવારે AMTS બસની અડફેટે આવતા 74 વર્ષીય વૃદ્ધ ગુલામ હુસેન અબ્દુલ હુસેન મોમીન નીચે ફટકાયા હતા અને તેમના પરથી બસનું ટાયર ફરી વળ્યું હતું. આ ગંભીર અકસ્માતમાં વૃદ્ધનું ઘટનાસ્થળ જ મોત નિપજ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...