Thursday, March 5, 2026

અમદાવાદના આ વિસ્તારમાં ડમ્પરે આઠ વર્ષીય બાળકને અટફેટે લેતા મોત, રોષે ભરાયેલ ટોળાએ ડમ્પર સળગાવ્યું

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના રસ્તા પર માતેલા સાંઢની જેમ દોડતા ડમ્પરો છાસવારે વાહનચાલકોને કાળનો કોળિયો બનાવી લેતા હોય છે. ત્યારે શનિવારે મોડી સાંજે શહેરના અમરાઈવાડી વિસ્તારમાં ડમ્પરે આઠ વર્ષીય બાળકને અડફેટે લેતા ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. આ અકસ્માતને લઈને સ્થાનીક લોકોના ટોળેટોળા એકઠા થઇ જતા રોષે ભરાયેલ ટોળાએ ડમ્પરને સળગાવી રોષ વ્યકત કર્યો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલ સ્વસ્તીક ચાર રસ્તા પાસે મનીષા ટ્રેડર્સ નામ લખેલા ડમ્પર ચાલકે નાના બાળક પર ડમ્પર ચડાવી દેતા બાળકનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ અકસ્માતના પગલે ટોળાએ ડમ્પરને સળગાવી દીધું હતું. જોકે, બીજી તરફ ભીડ બેકાબૂ થતાં પોલીસનો કાફલો વધુ પ્રમાણમાં ખડકી દેવામાં આવ્યો હતો.

સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક લોકોએ ડમ્પરને આગચંપી કરીને રોષ વ્યક્ત કરતા પોલીસનો કાફલો વધુ પ્રમાણમાં ખડકી દેવામાં આવ્યો હતો.તેમજ ટ્રાફિક પોલીસ ડીસીપી સફીન હસન પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી પ્રમાણે નાગરવેલ પોલીસ ચોકીએ ડમ્પર ચાલકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...