Friday, January 23, 2026

અમદાવાદના આ વિસ્તારમાં ડમ્પરે આઠ વર્ષીય બાળકને અટફેટે લેતા મોત, રોષે ભરાયેલ ટોળાએ ડમ્પર સળગાવ્યું

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના રસ્તા પર માતેલા સાંઢની જેમ દોડતા ડમ્પરો છાસવારે વાહનચાલકોને કાળનો કોળિયો બનાવી લેતા હોય છે. ત્યારે શનિવારે મોડી સાંજે શહેરના અમરાઈવાડી વિસ્તારમાં ડમ્પરે આઠ વર્ષીય બાળકને અડફેટે લેતા ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. આ અકસ્માતને લઈને સ્થાનીક લોકોના ટોળેટોળા એકઠા થઇ જતા રોષે ભરાયેલ ટોળાએ ડમ્પરને સળગાવી રોષ વ્યકત કર્યો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલ સ્વસ્તીક ચાર રસ્તા પાસે મનીષા ટ્રેડર્સ નામ લખેલા ડમ્પર ચાલકે નાના બાળક પર ડમ્પર ચડાવી દેતા બાળકનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ અકસ્માતના પગલે ટોળાએ ડમ્પરને સળગાવી દીધું હતું. જોકે, બીજી તરફ ભીડ બેકાબૂ થતાં પોલીસનો કાફલો વધુ પ્રમાણમાં ખડકી દેવામાં આવ્યો હતો.

સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક લોકોએ ડમ્પરને આગચંપી કરીને રોષ વ્યક્ત કરતા પોલીસનો કાફલો વધુ પ્રમાણમાં ખડકી દેવામાં આવ્યો હતો.તેમજ ટ્રાફિક પોલીસ ડીસીપી સફીન હસન પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી પ્રમાણે નાગરવેલ પોલીસ ચોકીએ ડમ્પર ચાલકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...