Friday, June 12, 2026

સમસ્ત ગુજરાત માલી સમાજ મહામંડળના પ્રમુખ પદે ભાવિક રામીની સર્વાનુમતે વરણી

spot_img
Share

અમદાવાદ : તાજેતરમાં અમદાવાદમાં ગુજરાત માલી સમાજ મહામંડળની પ્રથમ સાધારણ સભાનું આયોજન કરવામા આવ્યું હતું.જેમાં સમગ્ર ગુજરાતના 33 જિલ્લામાંથી માલી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. આ બેઠકમાં સર્વ સંમતીથી પાટણના યુવા આગેવાન ભાવિક રામીની પ્રમુખપદે વરણી કરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ગત તારીખ 30-07-23 ને રવિવારના રોજ અમદાવાદ ખાતે સમસ્ત ગુજરાત માલી સમાજ મહામંડળની પ્રથમ સાધારણ સભાનું આયોજન કરવામા આવ્યું હતું.જેમાં સમગ્ર ગુજરાતના 33 જિલ્લામાંથી માલી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. સમારંભના અધ્યક્ષ પદે બનાસકાંઠાના વતની અને નિવૃત્ત શિક્ષક અરજણભાઈ માલીની વરણી કરવામાં આવી હતી. ગુજરાતના ૩૩ જિલ્લામાંથી પધારેલા આગેવાનોમાંથી 12 ટ્રસ્ટીઓની નિમણુક કરવામાં આવી હતી. આં ટ્રસ્ટીઓ દ્વારા પ્રમુખ તરીકે પાટણના વતની અને સમગ્ર ગુજરાતના માળી સમાજના યુવા ચહેરા તરીકે જેમનું નામ છે તેવાં ભાવિકભાઈ રામીની દરખાસ્ત મૂકતા હાજર સૌએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધા હતા.

નવા વરાયેલા પ્રમુખ ભાવિકભાઈ રામી દ્વારા તેમનાં આયોજન મુજબ સમગ્ર ગુજરાતને પાંચ ઝોનમાં વહેંચી વિસ્તાર પ્રમાણે પ્રદેશનું 33 જણનું માળખું જાહેર કર્યું હતું. સલાહકાર સમિતિની નિમણુક કરતાં સમિતિનાં અધ્યક્ષ પદે રાજકોટના બાલકૃષ્ણભાઈ મકવાણાની સર્વાનુમત્તે નિમણુંક કરી હતી. ટ્રસ્ટીઓમા અને હોદ્દેદારોમાં મહિલાઓને પણ સ્થાન આપવામા આવ્યું હતું. આ સમયે નવા વરાયેલા પ્રમુખ ભાવિકભાઈ રામી દ્વારા તેમનાં નિવેદનમાં માલી સમાજમા શિક્ષણને વઘુ પ્રાધાન્ય આપવાની વાત કરતાં અખંડ ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફૂલે અને મહાત્મા જ્યોતિરાવ ફૂલેને માલી સમાજના આદર્શ તરીકે યાદ કર્યા હતા. તેમને નવી પેઢીમાં શિક્ષણની સાથે સાથે સંસ્કારોનું સિંચન કરવા તેમજ સામાજીક મેળાવડાઓ થકી સમાજ લેવલે એકબીજાની વઘુ નજીક આવવાની વાત કરી હતી.

સાધારણ સભામાં મહામંત્રી તરીકે વડોદરાના જશોદાબહેન ગેહલોત અને ખજાનચી તરીકે અમદાવાદના પ્રતાપભાઈ કનાડાની નિમણુંક કરવામાં આવી હતી. ટ્રસ્ટીઓમાં જિલ્લા વાઈઝ અમરતભાઈ માલી બનાસકાંઠા, નરસિંહભાઈ માળી બનાસકાંઠા, અતુલભાઈ માલી કચ્છ, ભાવેશભાઈ રામી ખેડા, રાજેશભાઈ ધોળકીયા સુરેન્દ્રનગર, વર્ષાબેન માલી અમદાવાદ, દિલીપભાઈ મોરી દાહોદ, ડો. વાસુદેવભાઈ રામી અરવલ્લી, જશરાજભાઈ ગેહલોત સુરત, ગુલાબભાઈ માલી ભરૂચ, જયંતભાઈ ટાકોલિયા બોટાદ, પુરુષોત્તમભાઈ સિસોદિયા રાજકોટની સર્વસંમતીથી વરણી કરવામાં આવી હતી. આ ઉપરાંત સોશિયલ મીડિયાના ચેરમેન તરીકે નવા વાડજના કિશોર માલીની નિમણુંક કરવામાં આવી હતી.સમગ્ર પ્રોગ્રામનું સંચાલન કનૈયાલાલ કે. રામી મહેસાણા દ્વારા કરવામાં આવ્યું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...