Wednesday, January 7, 2026

સમસ્ત ગુજરાત માલી સમાજ મહામંડળના પ્રમુખ પદે ભાવિક રામીની સર્વાનુમતે વરણી

spot_img
Share

અમદાવાદ : તાજેતરમાં અમદાવાદમાં ગુજરાત માલી સમાજ મહામંડળની પ્રથમ સાધારણ સભાનું આયોજન કરવામા આવ્યું હતું.જેમાં સમગ્ર ગુજરાતના 33 જિલ્લામાંથી માલી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. આ બેઠકમાં સર્વ સંમતીથી પાટણના યુવા આગેવાન ભાવિક રામીની પ્રમુખપદે વરણી કરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ગત તારીખ 30-07-23 ને રવિવારના રોજ અમદાવાદ ખાતે સમસ્ત ગુજરાત માલી સમાજ મહામંડળની પ્રથમ સાધારણ સભાનું આયોજન કરવામા આવ્યું હતું.જેમાં સમગ્ર ગુજરાતના 33 જિલ્લામાંથી માલી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. સમારંભના અધ્યક્ષ પદે બનાસકાંઠાના વતની અને નિવૃત્ત શિક્ષક અરજણભાઈ માલીની વરણી કરવામાં આવી હતી. ગુજરાતના ૩૩ જિલ્લામાંથી પધારેલા આગેવાનોમાંથી 12 ટ્રસ્ટીઓની નિમણુક કરવામાં આવી હતી. આં ટ્રસ્ટીઓ દ્વારા પ્રમુખ તરીકે પાટણના વતની અને સમગ્ર ગુજરાતના માળી સમાજના યુવા ચહેરા તરીકે જેમનું નામ છે તેવાં ભાવિકભાઈ રામીની દરખાસ્ત મૂકતા હાજર સૌએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધા હતા.

નવા વરાયેલા પ્રમુખ ભાવિકભાઈ રામી દ્વારા તેમનાં આયોજન મુજબ સમગ્ર ગુજરાતને પાંચ ઝોનમાં વહેંચી વિસ્તાર પ્રમાણે પ્રદેશનું 33 જણનું માળખું જાહેર કર્યું હતું. સલાહકાર સમિતિની નિમણુક કરતાં સમિતિનાં અધ્યક્ષ પદે રાજકોટના બાલકૃષ્ણભાઈ મકવાણાની સર્વાનુમત્તે નિમણુંક કરી હતી. ટ્રસ્ટીઓમા અને હોદ્દેદારોમાં મહિલાઓને પણ સ્થાન આપવામા આવ્યું હતું. આ સમયે નવા વરાયેલા પ્રમુખ ભાવિકભાઈ રામી દ્વારા તેમનાં નિવેદનમાં માલી સમાજમા શિક્ષણને વઘુ પ્રાધાન્ય આપવાની વાત કરતાં અખંડ ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફૂલે અને મહાત્મા જ્યોતિરાવ ફૂલેને માલી સમાજના આદર્શ તરીકે યાદ કર્યા હતા. તેમને નવી પેઢીમાં શિક્ષણની સાથે સાથે સંસ્કારોનું સિંચન કરવા તેમજ સામાજીક મેળાવડાઓ થકી સમાજ લેવલે એકબીજાની વઘુ નજીક આવવાની વાત કરી હતી.

સાધારણ સભામાં મહામંત્રી તરીકે વડોદરાના જશોદાબહેન ગેહલોત અને ખજાનચી તરીકે અમદાવાદના પ્રતાપભાઈ કનાડાની નિમણુંક કરવામાં આવી હતી. ટ્રસ્ટીઓમાં જિલ્લા વાઈઝ અમરતભાઈ માલી બનાસકાંઠા, નરસિંહભાઈ માળી બનાસકાંઠા, અતુલભાઈ માલી કચ્છ, ભાવેશભાઈ રામી ખેડા, રાજેશભાઈ ધોળકીયા સુરેન્દ્રનગર, વર્ષાબેન માલી અમદાવાદ, દિલીપભાઈ મોરી દાહોદ, ડો. વાસુદેવભાઈ રામી અરવલ્લી, જશરાજભાઈ ગેહલોત સુરત, ગુલાબભાઈ માલી ભરૂચ, જયંતભાઈ ટાકોલિયા બોટાદ, પુરુષોત્તમભાઈ સિસોદિયા રાજકોટની સર્વસંમતીથી વરણી કરવામાં આવી હતી. આ ઉપરાંત સોશિયલ મીડિયાના ચેરમેન તરીકે નવા વાડજના કિશોર માલીની નિમણુંક કરવામાં આવી હતી.સમગ્ર પ્રોગ્રામનું સંચાલન કનૈયાલાલ કે. રામી મહેસાણા દ્વારા કરવામાં આવ્યું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...

અંબાજી શક્તિપીઠમાં ઈતિહાસ બદલાયો: હવે આઠમની મહાપૂજાના દર્શન તમામ ભક્તો કરી શકશે!

અંબાજી : શક્તિપીઠ અંબાજી મંદિરને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અંબાજી મંદિર સ્થાપના બાદનો અત્યાર સુધીનો સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે....

ગિફ્ટ સિટીમાં દારૂના નિયમોમાં મોટો ફેરફાર, વિદેશી પ્રવાસીઓ તથા અન્ય રાજ્યના ઓળખપત્ર બતાવી મેળવી શકશે દારૂ

ગાંધીનગર : ગિફ્ટ સિટીના મુલાકાતીઓ અને કર્મચારીઓને ક્રિસમસ અને નવા વર્ષની શાનદાર ભેટ સમાન નિર્ણયમાં રાજ્ય સરકારે દારૂબંધીના નિયમમાં વધુ રાહત આપતું જાહેરનામું બહાર...

GSRTCની નવી પહેલ, હવે ST બસમાં મુસાફરી દરમિયાન મળશે ગરમાગરમ ભોજન, જાણો કઈ રીતે કરશો ઓર્ડર

ગાંધીનગર : ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોની સુવિધામાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે. હાઈ-ટેક બસો બાદ હવે નિગમે મુસાફરોની જઠરાગ્નિ...

ઇમ્પેક્ટ ફીની મુદતમાં પાંચમી વખત છ માસનો વધારો, ગેરકાયદેસર બાંધકામ થઈ જશે કાયદેસર

ગાંધીનગર : ગુજરાત અનધિકૃત વિકાસ નિયમિત કાયદા 2022 હેઠળ રાજ્ય સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફી ભરીને ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટેની સમયમર્યાદા આગામી 6 મહિના...

મોંઘવારીનો વધુ એક માર, વાહનોનું PUC કઢાવવું હવે મોંઘું થશે ! ટુ-વ્હીલર, ફોર-વ્હીલરના નવા ભાવ જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકારે વાહનો માટે પીયુસીના દરમાં વધારો કર્યો છે. વાહનો માટે ફરજિયાત પોલ્યુશન અન્ડર કંટ્રોલ સર્ટિફિકેટ (પીયુસી) મેળવવા હવે વાહન માલિકોને વધુ...