Friday, February 6, 2026

સમસ્ત ગુજરાત માલી સમાજ મહામંડળના પ્રમુખ પદે ભાવિક રામીની સર્વાનુમતે વરણી

spot_img
Share

અમદાવાદ : તાજેતરમાં અમદાવાદમાં ગુજરાત માલી સમાજ મહામંડળની પ્રથમ સાધારણ સભાનું આયોજન કરવામા આવ્યું હતું.જેમાં સમગ્ર ગુજરાતના 33 જિલ્લામાંથી માલી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. આ બેઠકમાં સર્વ સંમતીથી પાટણના યુવા આગેવાન ભાવિક રામીની પ્રમુખપદે વરણી કરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ગત તારીખ 30-07-23 ને રવિવારના રોજ અમદાવાદ ખાતે સમસ્ત ગુજરાત માલી સમાજ મહામંડળની પ્રથમ સાધારણ સભાનું આયોજન કરવામા આવ્યું હતું.જેમાં સમગ્ર ગુજરાતના 33 જિલ્લામાંથી માલી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. સમારંભના અધ્યક્ષ પદે બનાસકાંઠાના વતની અને નિવૃત્ત શિક્ષક અરજણભાઈ માલીની વરણી કરવામાં આવી હતી. ગુજરાતના ૩૩ જિલ્લામાંથી પધારેલા આગેવાનોમાંથી 12 ટ્રસ્ટીઓની નિમણુક કરવામાં આવી હતી. આં ટ્રસ્ટીઓ દ્વારા પ્રમુખ તરીકે પાટણના વતની અને સમગ્ર ગુજરાતના માળી સમાજના યુવા ચહેરા તરીકે જેમનું નામ છે તેવાં ભાવિકભાઈ રામીની દરખાસ્ત મૂકતા હાજર સૌએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધા હતા.

નવા વરાયેલા પ્રમુખ ભાવિકભાઈ રામી દ્વારા તેમનાં આયોજન મુજબ સમગ્ર ગુજરાતને પાંચ ઝોનમાં વહેંચી વિસ્તાર પ્રમાણે પ્રદેશનું 33 જણનું માળખું જાહેર કર્યું હતું. સલાહકાર સમિતિની નિમણુક કરતાં સમિતિનાં અધ્યક્ષ પદે રાજકોટના બાલકૃષ્ણભાઈ મકવાણાની સર્વાનુમત્તે નિમણુંક કરી હતી. ટ્રસ્ટીઓમા અને હોદ્દેદારોમાં મહિલાઓને પણ સ્થાન આપવામા આવ્યું હતું. આ સમયે નવા વરાયેલા પ્રમુખ ભાવિકભાઈ રામી દ્વારા તેમનાં નિવેદનમાં માલી સમાજમા શિક્ષણને વઘુ પ્રાધાન્ય આપવાની વાત કરતાં અખંડ ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફૂલે અને મહાત્મા જ્યોતિરાવ ફૂલેને માલી સમાજના આદર્શ તરીકે યાદ કર્યા હતા. તેમને નવી પેઢીમાં શિક્ષણની સાથે સાથે સંસ્કારોનું સિંચન કરવા તેમજ સામાજીક મેળાવડાઓ થકી સમાજ લેવલે એકબીજાની વઘુ નજીક આવવાની વાત કરી હતી.

સાધારણ સભામાં મહામંત્રી તરીકે વડોદરાના જશોદાબહેન ગેહલોત અને ખજાનચી તરીકે અમદાવાદના પ્રતાપભાઈ કનાડાની નિમણુંક કરવામાં આવી હતી. ટ્રસ્ટીઓમાં જિલ્લા વાઈઝ અમરતભાઈ માલી બનાસકાંઠા, નરસિંહભાઈ માળી બનાસકાંઠા, અતુલભાઈ માલી કચ્છ, ભાવેશભાઈ રામી ખેડા, રાજેશભાઈ ધોળકીયા સુરેન્દ્રનગર, વર્ષાબેન માલી અમદાવાદ, દિલીપભાઈ મોરી દાહોદ, ડો. વાસુદેવભાઈ રામી અરવલ્લી, જશરાજભાઈ ગેહલોત સુરત, ગુલાબભાઈ માલી ભરૂચ, જયંતભાઈ ટાકોલિયા બોટાદ, પુરુષોત્તમભાઈ સિસોદિયા રાજકોટની સર્વસંમતીથી વરણી કરવામાં આવી હતી. આ ઉપરાંત સોશિયલ મીડિયાના ચેરમેન તરીકે નવા વાડજના કિશોર માલીની નિમણુંક કરવામાં આવી હતી.સમગ્ર પ્રોગ્રામનું સંચાલન કનૈયાલાલ કે. રામી મહેસાણા દ્વારા કરવામાં આવ્યું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...