Wednesday, September 17, 2025

અમદાવાદમાં મોબાઇલ સ્નેચિંગની ઘટના, વિધાર્થીના હાથમાંથી મોબાઈલ ઝૂંટવીને બાઇકચાલક ફરાર

Share

Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં અવારનવાર લોકોના મોબાઈલ ફોન ચોરી થવાની તેમજ રસ્તે પસાર થતાં રાહદારીઓના હાથમાંથી મોબાઇલ સ્નેચિંગ કરી બાઈક ફરાર થઈ જવાની ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઈ રહી છે ત્યારે આવી વધુ એક ઘટના અમદાવાદ શહેરમાં સામે આવી છે અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં એક મોબાઇલ સ્નેચિંગની ઘટના સામે આવી છે જેમાં એક વિધાર્થી રોડ પરથી પસાર થઇ રહ્યો હતો એક શખ્સ તેની પાછળથી આવે છે અને તરાપ મારીને મોબાઈલ ફોન ઝૂંટવીને ફરાર થઈ જાય છે.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના ગુલબાઈ ટેકરા પાસે આવેલી ઈસ્કોન રેસિડેન્સીનો આ બનાવ છે. જેમાં મોબાઈલ સ્નેચિંગની ઘટના બની છે, એક બાઈક પર આવેલો શખ્સ ગણતરીની સેકન્ડમાં રોડ પરથી પસાર થતા વિદ્યાર્થીના હાથમાંથી મોબાઈલ ફોન તફડાવીને ફરાર થઈ જતો દેખાય છે. આ આખી ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે.વિદ્યાર્થી સાથે જ્યારે આ ઘટના બની ત્યારે આ વિસ્તારમાં તે એકલો જ ચાલીને જઈ રહ્યો હતો, જેનો લાભ ઉઠાવીને બાઈક પર આવેલો શખ્સ મોબાઈલ ઝૂટવીને ફરાર થઈ ગયો હતો.

બાઈક પર આવેલા શખ્સને જાણે પહેલેથી જ રેકી કરીને પ્લાન બનાવ્યો હોય તેવું આ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જેવો શખ્સ યુવકની નજીક પહોંચે છે કે તરફ બાઈક ધીમું પાડીને વિદ્યાર્થીના હાથમાંથી ફોન ઝૂંટવી લે છે. આ પછી ત્યાંથી યુવક બાઈકની સ્પીડ પ્લાન પ્રમાણે વધારીને ફરાર થઈ જાય છે. આ મામલે હવે તપાસ પણ શરુ કરવામાં આવી છે. આ ઘટના જે કેદ થઈ છે તે સિવાયના CCTVની મદદથી પણ આરોપીની ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી શકે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...