Friday, January 16, 2026

અમદાવાદમાં મોબાઇલ સ્નેચિંગની ઘટના, વિધાર્થીના હાથમાંથી મોબાઈલ ઝૂંટવીને બાઇકચાલક ફરાર

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં અવારનવાર લોકોના મોબાઈલ ફોન ચોરી થવાની તેમજ રસ્તે પસાર થતાં રાહદારીઓના હાથમાંથી મોબાઇલ સ્નેચિંગ કરી બાઈક ફરાર થઈ જવાની ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઈ રહી છે ત્યારે આવી વધુ એક ઘટના અમદાવાદ શહેરમાં સામે આવી છે અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં એક મોબાઇલ સ્નેચિંગની ઘટના સામે આવી છે જેમાં એક વિધાર્થી રોડ પરથી પસાર થઇ રહ્યો હતો એક શખ્સ તેની પાછળથી આવે છે અને તરાપ મારીને મોબાઈલ ફોન ઝૂંટવીને ફરાર થઈ જાય છે.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના ગુલબાઈ ટેકરા પાસે આવેલી ઈસ્કોન રેસિડેન્સીનો આ બનાવ છે. જેમાં મોબાઈલ સ્નેચિંગની ઘટના બની છે, એક બાઈક પર આવેલો શખ્સ ગણતરીની સેકન્ડમાં રોડ પરથી પસાર થતા વિદ્યાર્થીના હાથમાંથી મોબાઈલ ફોન તફડાવીને ફરાર થઈ જતો દેખાય છે. આ આખી ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે.વિદ્યાર્થી સાથે જ્યારે આ ઘટના બની ત્યારે આ વિસ્તારમાં તે એકલો જ ચાલીને જઈ રહ્યો હતો, જેનો લાભ ઉઠાવીને બાઈક પર આવેલો શખ્સ મોબાઈલ ઝૂટવીને ફરાર થઈ ગયો હતો.

બાઈક પર આવેલા શખ્સને જાણે પહેલેથી જ રેકી કરીને પ્લાન બનાવ્યો હોય તેવું આ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જેવો શખ્સ યુવકની નજીક પહોંચે છે કે તરફ બાઈક ધીમું પાડીને વિદ્યાર્થીના હાથમાંથી ફોન ઝૂંટવી લે છે. આ પછી ત્યાંથી યુવક બાઈકની સ્પીડ પ્લાન પ્રમાણે વધારીને ફરાર થઈ જાય છે. આ મામલે હવે તપાસ પણ શરુ કરવામાં આવી છે. આ ઘટના જે કેદ થઈ છે તે સિવાયના CCTVની મદદથી પણ આરોપીની ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી શકે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...