Thursday, February 5, 2026

RTO દ્વારા ટુ-ફોર વ્હીલરની HSRP નંબર પ્લેટની ફીમાં ત્રણ ગણો વધારો, 15મી ઓક્ટોબરથી લાગુ પડશે

spot_img
Share

અમદાવાદ : RTO દ્વારા વાહનોમાં HSRP નંબર પ્લેટ લગાવતી કંપનીને કામગીરી બંધ કરાવીને ડિલરોને આ કામ સોંપાયું છે. જોકે આ બહાને વાહન વ્યવહાર વિભાગે નંબર પ્લેટની ફીમાં ત્રણ ગણો વધારો કરી નાખ્યો છે. ટુ-વ્હીલરથી લઈને ફોર-વ્હીલર સુધીની HSRP નંબર પ્લેટનો ચાર્જ વધારી દેવામાં આવ્યો છે.

મીડિયા રિપોર્ટ મુજબ, RTO વિભાગ દ્વારા HSRP નંબર પ્લેટની ફી વધારાઈ છે. જે મુજબ ટુ-વ્હીલરની ફી જે પહેલા 160 રૂપિયા હતી તે વધારીને 495 કરી દેવાઈ છે. તો કારની નંબર પ્લેટની ફી 450થી વધીરને 781 રૂપિયા કરી દેવાઈ છે. ખાસ વાત એ છે કે RTO વિભાગ દ્વારા નંબર પ્લેટનો કોન્ટ્રાક્ટ વર્તમાન કંપનીને જ સોંપવામાં આવ્યો છે. તો વાહન ડીલરોને પણ નંબર પ્લેટ લગાવવા માટે 100 રૂપિયા ફીટમેન્ટ ચાર્જ આપવામાં આવશે.

આવી જ રીતે વ્હીકલ ફીટનેસનું કામ 15મી ઓક્ટોબરથી ખાનગી કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવી રહ્યું છે. અગાઉ ફીટનેસની ફીમાં 400રૂ.માં કચેરીમાંથી સર્ટિફિકેટ મફત મળતું હતું, હવે આ માટે RC બુકનું કામ કરતી કંપનીને કોન્ટ્રાક્ટ અપાતા સર્ટિફિકેટ માટે રૂ.200 ફી ચૂકવવી પડશે. જેથી રીક્ષા-ટેક્સીની ફી જે હાલ 400 છે તે 15મી ઓક્ટોબરથી વધી જશે અને 600 થઈ જશે. આવી જ રીતે અન્ય મોટા વાહનોની ફી પણ વધી જશે.

નંબર પ્લેટ (એસએચઆરપી)ની ફી કંપનીમાં જમા થાય છે. જેમાંથી વાહન ડીલરોને નંબર પ્લેટ ફીટ કરવા માટેનો રૂ. 100 ફિટમેન ચાર્જ મળે છે. આ સિવાય ડિલરોના માણસો ચા-પાણીના નામે સામાન્ય રકમ લેતા હોય છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...