Wednesday, March 4, 2026

AMC કમિશનર લાલઘૂમ, સ્વચ્છતાની કામગીરીમાં બેદરકારી બદલ ડેપ્યુટી ડાયરેક્ટર સહિતના સ્ટાફને શો કોઝ નોટિસ

spot_img
Share

અમદાવાદ : AMC દ્વારા શહેરમાં એક તરફ સ્વચ્છતાનાં 60 દિવસ ઝુંબેશ ચાલી રહી છે. તેમજ ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં ફરજ બજાવતા કેટલાક અધિકારીઓ બેદરકારી દાખવતા તેમની સામે મ્યુનિસિપલ કમિશનરે કડક પગલાં લીધા છે. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા રાકેશ મીલેશિયા સહિતના PHS સ્ટાફને શો કોઝ નોટિસ ફટકારાતા AMCના અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

AMCના સૂત્રોના જણાવ્યા મુજબ મ્યુનિ. કમિશનર એમ.થેન્નારસ સ્વચ્છતાના વધુ આગ્રહી છે. અને અવાર-નવાર અધિકારીઓને શહેરને સ્વચ્છ અને સુઘડ બનાવવા માટે જરૂરી સુચના આપતા હોય છે. શહેરમાં સફાઈની કામગીરીને લઈને ભૂતકાળમાં અવારનવાર AMC કમિશનર દ્વારા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. જોકે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં ફરજ બજાવતા કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ યોગ્ય રીતે કામગીરી ન કરતા હોવાની ફરિયાદો ઊઠી હતી. મ્યુનિ. કમિશનર જે તે વિસ્તારમાં રાઉન્ડ લેતાં હતા ત્યારે તેમને ઝોનનાં અધિકારીઓની નિષ્ક્રિયતા નજરે પડતી હતી. કચરાનાં ઢગલા, ન્યૂસન્સ પોઇન્ટ, ડોર ટૂ ડોરનાં વાહનો પાછળ કચરો ભરેલાં થેલા લટકાવવા સહિતની બાબતે ઝોનનાં સોલીડ વેસ્ટ ખાતાનાં અધિકારીઓને કડક કાર્યવાહીની સૂચના છતાં કામગીરી ન કરવામાં આવતા કડક પગલાં લીધા હતા.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, શહેરના દક્ષિણ પશ્ચિમ ઝોન વિસ્તારમાં આવતા જોધપુર, સેટેલાઈટ, સરખેજ, મકતમપુરા સહિતના વિસ્તારોમાં સિલ્વર ટ્રોલી ઉપાડી લેવાયા બાદ તે જગ્યાઓએ કચરો ન ઠલવાય તે માટે સઘન પગલા લેવાતા નથી. કેટલીય જગ્યાએ કચરો નાખવામાં આવતો હોવાનું પૂરવાર થતાં તેમજ વોર્ડમાં ફાળવવામાં આવતાં મશીનરી-સાધનોનો યોગ્ય રીતે ઉપયોગ થતો નથી તે બધી બાબતોને ધ્યાને લઇ ફરજ પ્રત્યે બેદરકારી દાખવવા બદલ ખાતાકીય રાહે પગલા કેમ ન લેવા તેવી શો કોઝ નોટિસ ફટકારવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...