Tuesday, January 20, 2026

AMC કમિશનર લાલઘૂમ, સ્વચ્છતાની કામગીરીમાં બેદરકારી બદલ ડેપ્યુટી ડાયરેક્ટર સહિતના સ્ટાફને શો કોઝ નોટિસ

spot_img
Share

અમદાવાદ : AMC દ્વારા શહેરમાં એક તરફ સ્વચ્છતાનાં 60 દિવસ ઝુંબેશ ચાલી રહી છે. તેમજ ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં ફરજ બજાવતા કેટલાક અધિકારીઓ બેદરકારી દાખવતા તેમની સામે મ્યુનિસિપલ કમિશનરે કડક પગલાં લીધા છે. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા રાકેશ મીલેશિયા સહિતના PHS સ્ટાફને શો કોઝ નોટિસ ફટકારાતા AMCના અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

AMCના સૂત્રોના જણાવ્યા મુજબ મ્યુનિ. કમિશનર એમ.થેન્નારસ સ્વચ્છતાના વધુ આગ્રહી છે. અને અવાર-નવાર અધિકારીઓને શહેરને સ્વચ્છ અને સુઘડ બનાવવા માટે જરૂરી સુચના આપતા હોય છે. શહેરમાં સફાઈની કામગીરીને લઈને ભૂતકાળમાં અવારનવાર AMC કમિશનર દ્વારા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. જોકે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં ફરજ બજાવતા કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ યોગ્ય રીતે કામગીરી ન કરતા હોવાની ફરિયાદો ઊઠી હતી. મ્યુનિ. કમિશનર જે તે વિસ્તારમાં રાઉન્ડ લેતાં હતા ત્યારે તેમને ઝોનનાં અધિકારીઓની નિષ્ક્રિયતા નજરે પડતી હતી. કચરાનાં ઢગલા, ન્યૂસન્સ પોઇન્ટ, ડોર ટૂ ડોરનાં વાહનો પાછળ કચરો ભરેલાં થેલા લટકાવવા સહિતની બાબતે ઝોનનાં સોલીડ વેસ્ટ ખાતાનાં અધિકારીઓને કડક કાર્યવાહીની સૂચના છતાં કામગીરી ન કરવામાં આવતા કડક પગલાં લીધા હતા.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, શહેરના દક્ષિણ પશ્ચિમ ઝોન વિસ્તારમાં આવતા જોધપુર, સેટેલાઈટ, સરખેજ, મકતમપુરા સહિતના વિસ્તારોમાં સિલ્વર ટ્રોલી ઉપાડી લેવાયા બાદ તે જગ્યાઓએ કચરો ન ઠલવાય તે માટે સઘન પગલા લેવાતા નથી. કેટલીય જગ્યાએ કચરો નાખવામાં આવતો હોવાનું પૂરવાર થતાં તેમજ વોર્ડમાં ફાળવવામાં આવતાં મશીનરી-સાધનોનો યોગ્ય રીતે ઉપયોગ થતો નથી તે બધી બાબતોને ધ્યાને લઇ ફરજ પ્રત્યે બેદરકારી દાખવવા બદલ ખાતાકીય રાહે પગલા કેમ ન લેવા તેવી શો કોઝ નોટિસ ફટકારવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...