Wednesday, March 11, 2026

AMCની તવાઈ, એક દિવસમાં બાકી પ્રોપર્ટી ટેક્સ બદલ 2574 મિલકત સીલ કરાઈ

spot_img
Share

અમદાવાદ : શહેરમાં મ્યુનિસિપલ ટેક્ષ ખાતાનો ફફડાટ ચારેકોર થઈ રહ્યો છે. કોર્પોરેશનના ટેક્સ વિભાગે બાકી પ્રોપર્ટી ટેક્સની વસૂલાત માટે શુક્રવારે એક જ દિવસમાં 2574 મિલકત સીલ કરાઈ હતી. બાકી ટેક્સ પર વ્યાજ માફીની યોજના છતાં ટેક્સ નહીં ભરનારા સામે કાર્યવાહી કરવામાં આવી હતી. હજુ પણ આ ઝુંબેશ ચાલુ રહેશે.

પ્રાપ્ત વિગતો મુજબ ઘણાં વર્ષોથી મિલ્કત વેરો નથી ભર્યો આવાં બાકી ડિફોલ્ટરો સામે ટેક્સ વસૂલવા માટે સિલ ઝૂંબેશની કામગીરી કરવામાં આવી છે. જે અનુસંધાને મિલકતોના ટેક્સની વસૂલાત કરવા માટે પશ્વિમ ઝોનના ટેક્સ ખાતા દ્વારા 337 મિલકતોને સિલ કરવામાં આવી હતી. જ્યારે 90 લાખ જેટલી આવક પણ ડિસેમ્બર મહિનાના પહેલા દિવસે કોર્પોરેશનને થઈ હતી.જયારે ઉ.પશ્ચિમ ઝોનમાં ટાઇટેનિયમ સ્ક્વેર, વર્લ્ડ મેટ્રો ઓર્કિડ મોલ, ટાઇમ્સ સ્ક્વેર સહિત 365 એકમ જ્યારે દક્ષિણ ઝોનમાં દેવઓરમ, વિવાન સ્ક્વેર, સેલિબ્રેશન સિટી સેન્ટર સહિત 254 એકમ જ્યારે પૂર્વ ઝોનમાં મુક્તિધામ એસ્ટેટ સહિત 350 મિલકતો સીલ કરાઈ હતી.

પશ્વિમ ઝોનમાં આ મિલકતોને સિલ કરવામાં આવી
અશરફ પાર્ક, વાસણા, અશ્વમેઘ એલિગન્સ આંબાવાડી શેફાલી સેન્ટર, પાલડી
એમ્પાયર ટાવર, રત્નમ કોમ્પલેક્ષ, ગોકુલ કોમ્પલેક્ષ, વોલ સ્ટ્રીટ 1 દેવાશિષ કોમ્પલેક્ષ, એલિસબ્રિજ
સ્વપનીલ યુનિવર્સિટી પ્લાઝા, કોર્પોરેટ પાર્ક, નેશનલ ચેમ્બર્સ, નવરંગપુરા
યજ્ઞેશ શોપિંગ સેન્ટર, રન્ના પાર્ક, કર્ણાવતી એપાર્ટમેન્ટ, નારણપૂરા
શિવ ટાવર, કાવેરી કોમ્પલેક્ષ, જૂના વાડજ, આઈ શ્રી ખોડિયાર કોમ્પલેક્ષ, રામનગર
સેતુ સ્કેવર, પુરુષોત્તમ પાર્ક, ચાંદખેડા, પાર્ક શુકન મોલ, વિઠ્ઠલ મોલ, મોટેરા
મેગ્નેટ સ્કવેર, શાંતિદિપ -2. ન્યુ રાણીપ, શિવદર્શન, રાણીપ

આગામી દિવસોમાં પણ મિલકત વેરાની વસૂલાતની તથા સિલિંગ કરવાની કામગીરીને વધુ સઘન ઝૂંબેશ રુપે હાથ ધરવામાં આવશે. આ સિવાય શહેરનાં પૂર્વ ઝોન ઉત્તર ઝોન તથા દક્ષિણ ઝોનમાં પણ સિલિંગની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં અલગ અલગ સ્થળ પર બાકી લેણાં ઉઘરાવવામાં આવ્યા છે. આગામી સમયમાં આ ઝૂંબેશ વધુ સઘન બનાવવા માટે વિભાગ કાર્યવાહી કરી રહ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...