Friday, January 23, 2026

AMCની તવાઈ, એક દિવસમાં બાકી પ્રોપર્ટી ટેક્સ બદલ 2574 મિલકત સીલ કરાઈ

spot_img
Share

અમદાવાદ : શહેરમાં મ્યુનિસિપલ ટેક્ષ ખાતાનો ફફડાટ ચારેકોર થઈ રહ્યો છે. કોર્પોરેશનના ટેક્સ વિભાગે બાકી પ્રોપર્ટી ટેક્સની વસૂલાત માટે શુક્રવારે એક જ દિવસમાં 2574 મિલકત સીલ કરાઈ હતી. બાકી ટેક્સ પર વ્યાજ માફીની યોજના છતાં ટેક્સ નહીં ભરનારા સામે કાર્યવાહી કરવામાં આવી હતી. હજુ પણ આ ઝુંબેશ ચાલુ રહેશે.

પ્રાપ્ત વિગતો મુજબ ઘણાં વર્ષોથી મિલ્કત વેરો નથી ભર્યો આવાં બાકી ડિફોલ્ટરો સામે ટેક્સ વસૂલવા માટે સિલ ઝૂંબેશની કામગીરી કરવામાં આવી છે. જે અનુસંધાને મિલકતોના ટેક્સની વસૂલાત કરવા માટે પશ્વિમ ઝોનના ટેક્સ ખાતા દ્વારા 337 મિલકતોને સિલ કરવામાં આવી હતી. જ્યારે 90 લાખ જેટલી આવક પણ ડિસેમ્બર મહિનાના પહેલા દિવસે કોર્પોરેશનને થઈ હતી.જયારે ઉ.પશ્ચિમ ઝોનમાં ટાઇટેનિયમ સ્ક્વેર, વર્લ્ડ મેટ્રો ઓર્કિડ મોલ, ટાઇમ્સ સ્ક્વેર સહિત 365 એકમ જ્યારે દક્ષિણ ઝોનમાં દેવઓરમ, વિવાન સ્ક્વેર, સેલિબ્રેશન સિટી સેન્ટર સહિત 254 એકમ જ્યારે પૂર્વ ઝોનમાં મુક્તિધામ એસ્ટેટ સહિત 350 મિલકતો સીલ કરાઈ હતી.

પશ્વિમ ઝોનમાં આ મિલકતોને સિલ કરવામાં આવી
અશરફ પાર્ક, વાસણા, અશ્વમેઘ એલિગન્સ આંબાવાડી શેફાલી સેન્ટર, પાલડી
એમ્પાયર ટાવર, રત્નમ કોમ્પલેક્ષ, ગોકુલ કોમ્પલેક્ષ, વોલ સ્ટ્રીટ 1 દેવાશિષ કોમ્પલેક્ષ, એલિસબ્રિજ
સ્વપનીલ યુનિવર્સિટી પ્લાઝા, કોર્પોરેટ પાર્ક, નેશનલ ચેમ્બર્સ, નવરંગપુરા
યજ્ઞેશ શોપિંગ સેન્ટર, રન્ના પાર્ક, કર્ણાવતી એપાર્ટમેન્ટ, નારણપૂરા
શિવ ટાવર, કાવેરી કોમ્પલેક્ષ, જૂના વાડજ, આઈ શ્રી ખોડિયાર કોમ્પલેક્ષ, રામનગર
સેતુ સ્કેવર, પુરુષોત્તમ પાર્ક, ચાંદખેડા, પાર્ક શુકન મોલ, વિઠ્ઠલ મોલ, મોટેરા
મેગ્નેટ સ્કવેર, શાંતિદિપ -2. ન્યુ રાણીપ, શિવદર્શન, રાણીપ

આગામી દિવસોમાં પણ મિલકત વેરાની વસૂલાતની તથા સિલિંગ કરવાની કામગીરીને વધુ સઘન ઝૂંબેશ રુપે હાથ ધરવામાં આવશે. આ સિવાય શહેરનાં પૂર્વ ઝોન ઉત્તર ઝોન તથા દક્ષિણ ઝોનમાં પણ સિલિંગની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં અલગ અલગ સ્થળ પર બાકી લેણાં ઉઘરાવવામાં આવ્યા છે. આગામી સમયમાં આ ઝૂંબેશ વધુ સઘન બનાવવા માટે વિભાગ કાર્યવાહી કરી રહ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...