Wednesday, March 11, 2026

આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ, આ વિસ્તારોને નો પાર્કીંગ ઝોન, નો સ્ટોપ અને નો યુ ટર્ન ઝોન જાહેર કરાયા

spot_img
Share

અમદાવાદ : આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થવાનો છે ત્યારે કાંકરિયા કાર્નિવલમાં ખુબ મોટા પ્રમાણમાં લોકો આવતા હોવાથી સુરક્ષા વ્યવસ્થાને લઇને પણ પોલીસે એક્શન પ્લાન કર્યો છે. જેમાં 2 ડીસીપી, 5 એસીપી, 14 પીઆઇ, 66 પીએસઆઈ, 763 પોલીસ જવાનો, 200મહિલા પોલીસ, 150 હોમગાર્ડ જવાનો, સહિત 1300પોલીસ જવાનો બંદોબસ્તમાં હાજર રહેશે. ઉપરાંત એસ.આર.પી. એક કંપની, બોમ્બ ડિસ્પોઝલની છ ટીમો કાર્યરત રહેશે.ત્યારે મહિલાઓની છેડતીના બનાવોને રોકવા કુલ નવ શી ટીમ ખાનગી ડ્રેસમાં કાંકરિયામાં તૈનાત રહેશે શહેરના 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર દરમિયાન કાંકરિયા કાનવલનું આયોજન કરાયું છે.

જે અનુસંધાનમાં ટ્રાફિક વિભાગે જાહેરનામું બહાર પાડીને સવારે 8-00 થી રાત્રીના 1-00 વાગ્યા સુધી સુધી લોડીંગ અને પેસેન્જર વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુક્યો છે. તો કાકરિયા ખાતે આવતા લોકોને મુશ્કેલી ન પડે અને અવ્યવસ્થા ન સર્જાય તે માટે કેટલાક વિસ્તારને નો પાર્કીંગ ઝોન, નો સ્ટોપ ઝોન અને નો યુ ટર્ન ઝોન તરીકે જાહેર કરાયા છે.

જાહેરનામા મુજબ કાંકરિયા ચોકીથી રેલ્વે યાર્ડ થઈ ખોખરા બ્રીજ, દેડકી ગાર્ડન, સિદ્વી વિનાયક હોસ્પિટલથી પુષ્પકુંજ થઈ અપ્સરા સિનેમાથી ફુટબોલ ચાર રસ્તા થઈ લોહાણા મહાજવાડી થઈને કાંકરિયા ચોકી સુધીનો રસ્તો પોલીસે નો સ્ટોપ અને નો પાકગ ઝોન તરીકે જાહેર કર્યો છે. તેમજ કાંકરિયા ફરતે કોઈ પણ વાહન સ્ટોપ થઈ શકશે નહિ તથા પાકગ જગ્યા સિવાય કોઈ પણ વાહન પાર્ક કરી શકાશે નહી. સાથેસાથે કાંકરિયા તળાવ ફરતે સર્કલ રોડ ટુ લેનમાં હોવાથી કોઈ પણ જગ્યાથી યુ ટર્ન લેવા પર પ્રતિબંધ મુકાયો છે.

આ ઉપરાંત, દાણીલીમડા ચાર રસ્તાથી શાહ આલમ થઇને કાંકરિયા મુખ્ય રોડ, ચંડોળા પોલીસ ચોકીથી શાહ આલમ થઇ કાંકરિયા તરફનો મુખ્ય રોડ, મણીનગર રેલવે સ્ટેશનથી મણીનગર ચાર રસ્તાથી રામબાગ થઇ કાંકરિયા તરફ જતો રોડ, કાગડાપીઠ ટી થી વાણિજ્ય ભવન થઇને કાંકરિયા તરફનો રોડ, રાયપુર દરવાજાથી બીગ બજાર થી પારસી અગિયારી ચાર રસ્તા થઇને કાંકરિયા તરફનો મુખ્ય રોડ, ગુરૂજી બ્રીજથી આવકાર હોલથી હિરાભાઇ ટાવરથી ભૈરવનાથ થઇને કાંકરિયા તરફના રોડ પરથી ભારે અને પેસેન્જર વાહનો અવર જવર નહિ કરી શકે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...