Thursday, January 15, 2026

આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ, આ વિસ્તારોને નો પાર્કીંગ ઝોન, નો સ્ટોપ અને નો યુ ટર્ન ઝોન જાહેર કરાયા

spot_img
Share

અમદાવાદ : આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થવાનો છે ત્યારે કાંકરિયા કાર્નિવલમાં ખુબ મોટા પ્રમાણમાં લોકો આવતા હોવાથી સુરક્ષા વ્યવસ્થાને લઇને પણ પોલીસે એક્શન પ્લાન કર્યો છે. જેમાં 2 ડીસીપી, 5 એસીપી, 14 પીઆઇ, 66 પીએસઆઈ, 763 પોલીસ જવાનો, 200મહિલા પોલીસ, 150 હોમગાર્ડ જવાનો, સહિત 1300પોલીસ જવાનો બંદોબસ્તમાં હાજર રહેશે. ઉપરાંત એસ.આર.પી. એક કંપની, બોમ્બ ડિસ્પોઝલની છ ટીમો કાર્યરત રહેશે.ત્યારે મહિલાઓની છેડતીના બનાવોને રોકવા કુલ નવ શી ટીમ ખાનગી ડ્રેસમાં કાંકરિયામાં તૈનાત રહેશે શહેરના 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર દરમિયાન કાંકરિયા કાનવલનું આયોજન કરાયું છે.

જે અનુસંધાનમાં ટ્રાફિક વિભાગે જાહેરનામું બહાર પાડીને સવારે 8-00 થી રાત્રીના 1-00 વાગ્યા સુધી સુધી લોડીંગ અને પેસેન્જર વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુક્યો છે. તો કાકરિયા ખાતે આવતા લોકોને મુશ્કેલી ન પડે અને અવ્યવસ્થા ન સર્જાય તે માટે કેટલાક વિસ્તારને નો પાર્કીંગ ઝોન, નો સ્ટોપ ઝોન અને નો યુ ટર્ન ઝોન તરીકે જાહેર કરાયા છે.

જાહેરનામા મુજબ કાંકરિયા ચોકીથી રેલ્વે યાર્ડ થઈ ખોખરા બ્રીજ, દેડકી ગાર્ડન, સિદ્વી વિનાયક હોસ્પિટલથી પુષ્પકુંજ થઈ અપ્સરા સિનેમાથી ફુટબોલ ચાર રસ્તા થઈ લોહાણા મહાજવાડી થઈને કાંકરિયા ચોકી સુધીનો રસ્તો પોલીસે નો સ્ટોપ અને નો પાકગ ઝોન તરીકે જાહેર કર્યો છે. તેમજ કાંકરિયા ફરતે કોઈ પણ વાહન સ્ટોપ થઈ શકશે નહિ તથા પાકગ જગ્યા સિવાય કોઈ પણ વાહન પાર્ક કરી શકાશે નહી. સાથેસાથે કાંકરિયા તળાવ ફરતે સર્કલ રોડ ટુ લેનમાં હોવાથી કોઈ પણ જગ્યાથી યુ ટર્ન લેવા પર પ્રતિબંધ મુકાયો છે.

આ ઉપરાંત, દાણીલીમડા ચાર રસ્તાથી શાહ આલમ થઇને કાંકરિયા મુખ્ય રોડ, ચંડોળા પોલીસ ચોકીથી શાહ આલમ થઇ કાંકરિયા તરફનો મુખ્ય રોડ, મણીનગર રેલવે સ્ટેશનથી મણીનગર ચાર રસ્તાથી રામબાગ થઇ કાંકરિયા તરફ જતો રોડ, કાગડાપીઠ ટી થી વાણિજ્ય ભવન થઇને કાંકરિયા તરફનો રોડ, રાયપુર દરવાજાથી બીગ બજાર થી પારસી અગિયારી ચાર રસ્તા થઇને કાંકરિયા તરફનો મુખ્ય રોડ, ગુરૂજી બ્રીજથી આવકાર હોલથી હિરાભાઇ ટાવરથી ભૈરવનાથ થઇને કાંકરિયા તરફના રોડ પરથી ભારે અને પેસેન્જર વાહનો અવર જવર નહિ કરી શકે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...