Monday, November 17, 2025

અયોધ્યા રામ મંદિર નિર્માણ માટે આ બે ગુજરાતીઓ સૌથી મોટા દાતા, કુલ 5000 કરોડનું મળ્યુ દાન

spot_img
Share

અમદાવાદ : અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરમાં ભગવાન રામલલાના અભિષેકને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ભગવાન શ્રી રામના ભવ્ય મંદિર માટે ભારત અને વિદેશના રામ ભક્તોએ ઉદાર હાથે દાન આપ્યું છે. ત્યારે રામ મંદિર માટે અનેક ગુજરાતીઓએ ખોબલે ભરીને દાન આપ્યુ છે. હવે આ ગુજરાતીઓને પણ આમંત્રણ મળ્યા છે. રામ મંદિર માટે સૌથી વધુ દાન કરનારાઓમાં ગુજરાતીઓના નામ ટોચ પર છે. મોરારી બાપુએ રામ મંદિર માટે 11.3 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. તો હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાએ રામ મંદિરના નિર્માણ માટે 11 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.

ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, અયોધ્યામાં તૈયાર થઇ રહેલા રામ મંદિરના નિર્માણ માટે અત્યાર સુધી 18 કરોડ રામ ભક્તોએ ટ્રસ્ટના સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બરોડા બેંક અને પંજાબ નેશનલ બેંકના ખાતામાં 3200 કરોડ રૂપિયાનું દાન જમા કરાવ્યું છે. ટ્રસ્ટ દ્વારા આ તમામ રકમની બેંકમાં FD કરવામાં આવી છે. મહત્વનું એ છે કે અત્યાર સુધીનું મંદિરનું નિર્માણ કાર્ય FDના વ્યાજની રકમથી જ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ફક્ત રોકડ રકમ જ નહિ પરંતુ રામભક્તો દ્વારા ચાંદી અને સોનાનું પણ દાન કરવામાં આવ્યું છે. જેમાં ટ્રસ્ટને 4 ક્વિન્ટલ ચાંદી અને અમુક ગ્રામ સોનું દાનમાં મળ્યું છે.

રામ મંદિરના નિર્માણ માટે દેશમાંથી સર્વાધિક દાન કરનાર વિશેષ વ્યક્તિઓમાં સૌથી આગળ બે ગુજરાતીઓ છે. જેમાં પ્રસિદ્ધ રામકથાકાર અને અધ્યાત્મિક ગુરુ મોરારી બાપુએ 11.3 કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું છે. જેમાં તેઓના દેશ વિદેશમાં વસતા અનુયાયીઓએ સામુહિક રીતે 8 કરોડ રૂપિયા દાન આપ્યું હતું.

તેમના પછી બીજા એક ગુજરાતી રામભક્ત સુરતના ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકિયાએ 11 કરોડનું દાન આપ્યું હતું. સવજીભાઈ ધોળકિયા સુરતની પ્રસિદ્ધ ડાયમંડ કંપની શ્રીરામકૃષ્ણ એક્સપોર્ટના ચેરમેન છે. આ સિવાય પણ અનેક ગુજરાતીઓ પોતાની તિજોરીઓ રામ મંદિર માટે ખુલ્લી મૂકી દીધી છે.

ટ્રસ્ટના જણાવ્યા અનુસાર તેઓએ શરૂઆતમાં ફક્ત 900 કરોડ રૂપિયાના દાનની અપેક્ષા સાથે સમર્પણ નિધિ અભિયાન ચાલુ કર્યું હતું. પણ દેશ- વિદેશના કરોડો રામભક્તોએ પોતાના આરાધ્યદેવના મંદિર નિર્માણ માટે અત્યાર સુધી 5000 હજાર કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...