Thursday, March 12, 2026

અમદાવાદમાં બનશે દેશનો સૌથી મોટો મોલ, આ ગ્રુપ 4 હજાર કરોડનું કરશે રોકાણ

spot_img
Share

અમદાવાદ : ગુજરાતનું મેટ્રો સીટી અમદાવાદ બિઝનેસ અને ફેસીલિટીનું હબ બનવા જઈ રહ્યું છે. અમદાવાદમાં LuLu ગ્રુપ દેશને સૌથી મોટો શોપિંગ મૉલ ખોલવા જઇ રહ્યું છે. મૂળ યુ એ એ નું Lulu Group ગુજરાતમાં 4 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવા જઇ રહ્યું છે.અમદાવાદમાં LuLu ગ્રૂપ દ્વારા શોપિંગ મોલનું બાંધકામ 2024માં શરૂ થશે. લુલુ ગ્રુપ ઇન્ટરનેશનલના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર યુસુફ અલી એમએ યુસુફ અલીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં આ જાહેરાત કરી છે. લુલુ ગ્રુપના ચેરમેને કહ્યું કે શોપિંગ મોલનું બાંધકામ 2024માં જ શરૂ થઇ જશે.

ન્યૂઝ એજન્સી ANIને લુલુ ગ્રુપના ચેરમેન એમએ યુસુફ અલીએ જણાવ્યું કે, “અહીં છેલ્લા 20 વર્ષથી વાયબ્રન્ટ ગુજરાતનું આયોજન કરવામાં આવે છે જે વડાપ્રધાન મોદીનું વિઝન છે, અમે અમદાવાદ અને ચેન્નાઇમાં એક સૌથી મોટા શોપિંગ મોલ બનાવવા જઇ રહ્યાં છીએ. અમે આ મહિનાના અંતમાં હૈદરાબાદમાં અમારો શોપિંગ મોલ ખોલી રહ્યાં છીએ. તેમજ અમે શોપિંગ મોલ્સ અને ફૂડ પ્રોસેસિંગ માટે જુદા જુદા રાજ્યોમાં જઈ રહ્યા છીએ. હું વડાપ્રધાન અને મુખ્યમંત્રીને અભિનંદન પાઠવું છું.” સપ્ટેમ્બર 2023માં લુલુ ગ્રુપના યુસુફ અલીએ એક સંકેત આપ્યો હતો કે તેમનું ગ્રુપ ભારતમાં બે મોટા શોપિંગ મોલ- અમદાવાદ અને ચેન્નાઇમાં બનાવવા માટે જઇ રહ્યું છે.

લુલુ એક અરબી નામ છે, જેનો અર્થ મોતી થાય છે. આ નામ પર યૂસુફ અલીએ પોતાની કંપનીનું નામ લુલુ ગ્રુપ ઇન્ટરનેશનલ રાખ્યુ છે. લુલુ ગ્રુપ હાઇપરમાર્કેટ અને રિટેલ કંપનીઓની એક મોટી ચેન ચલાવે છે. આ ગ્રુપનો વેપાર સૌથી વધુ અરબ દેશ ખાસ કરીને UAEમાં ફેલાયેલો છે. આ ગ્રુપનો બિઝનેસ મધ્ય પૂર્વ, એશિયા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા અને યૂરોપ સહિત 24 દેશમાં છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...