Sunday, January 18, 2026

અમદાવાદમાં બનશે દેશનો સૌથી મોટો મોલ, આ ગ્રુપ 4 હજાર કરોડનું કરશે રોકાણ

spot_img
Share

અમદાવાદ : ગુજરાતનું મેટ્રો સીટી અમદાવાદ બિઝનેસ અને ફેસીલિટીનું હબ બનવા જઈ રહ્યું છે. અમદાવાદમાં LuLu ગ્રુપ દેશને સૌથી મોટો શોપિંગ મૉલ ખોલવા જઇ રહ્યું છે. મૂળ યુ એ એ નું Lulu Group ગુજરાતમાં 4 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવા જઇ રહ્યું છે.અમદાવાદમાં LuLu ગ્રૂપ દ્વારા શોપિંગ મોલનું બાંધકામ 2024માં શરૂ થશે. લુલુ ગ્રુપ ઇન્ટરનેશનલના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર યુસુફ અલી એમએ યુસુફ અલીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં આ જાહેરાત કરી છે. લુલુ ગ્રુપના ચેરમેને કહ્યું કે શોપિંગ મોલનું બાંધકામ 2024માં જ શરૂ થઇ જશે.

ન્યૂઝ એજન્સી ANIને લુલુ ગ્રુપના ચેરમેન એમએ યુસુફ અલીએ જણાવ્યું કે, “અહીં છેલ્લા 20 વર્ષથી વાયબ્રન્ટ ગુજરાતનું આયોજન કરવામાં આવે છે જે વડાપ્રધાન મોદીનું વિઝન છે, અમે અમદાવાદ અને ચેન્નાઇમાં એક સૌથી મોટા શોપિંગ મોલ બનાવવા જઇ રહ્યાં છીએ. અમે આ મહિનાના અંતમાં હૈદરાબાદમાં અમારો શોપિંગ મોલ ખોલી રહ્યાં છીએ. તેમજ અમે શોપિંગ મોલ્સ અને ફૂડ પ્રોસેસિંગ માટે જુદા જુદા રાજ્યોમાં જઈ રહ્યા છીએ. હું વડાપ્રધાન અને મુખ્યમંત્રીને અભિનંદન પાઠવું છું.” સપ્ટેમ્બર 2023માં લુલુ ગ્રુપના યુસુફ અલીએ એક સંકેત આપ્યો હતો કે તેમનું ગ્રુપ ભારતમાં બે મોટા શોપિંગ મોલ- અમદાવાદ અને ચેન્નાઇમાં બનાવવા માટે જઇ રહ્યું છે.

લુલુ એક અરબી નામ છે, જેનો અર્થ મોતી થાય છે. આ નામ પર યૂસુફ અલીએ પોતાની કંપનીનું નામ લુલુ ગ્રુપ ઇન્ટરનેશનલ રાખ્યુ છે. લુલુ ગ્રુપ હાઇપરમાર્કેટ અને રિટેલ કંપનીઓની એક મોટી ચેન ચલાવે છે. આ ગ્રુપનો વેપાર સૌથી વધુ અરબ દેશ ખાસ કરીને UAEમાં ફેલાયેલો છે. આ ગ્રુપનો બિઝનેસ મધ્ય પૂર્વ, એશિયા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા અને યૂરોપ સહિત 24 દેશમાં છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...