Thursday, September 18, 2025

અમદાવાદમાં બનશે દેશનો સૌથી મોટો મોલ, આ ગ્રુપ 4 હજાર કરોડનું કરશે રોકાણ

Share

Share

અમદાવાદ : ગુજરાતનું મેટ્રો સીટી અમદાવાદ બિઝનેસ અને ફેસીલિટીનું હબ બનવા જઈ રહ્યું છે. અમદાવાદમાં LuLu ગ્રુપ દેશને સૌથી મોટો શોપિંગ મૉલ ખોલવા જઇ રહ્યું છે. મૂળ યુ એ એ નું Lulu Group ગુજરાતમાં 4 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવા જઇ રહ્યું છે.અમદાવાદમાં LuLu ગ્રૂપ દ્વારા શોપિંગ મોલનું બાંધકામ 2024માં શરૂ થશે. લુલુ ગ્રુપ ઇન્ટરનેશનલના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર યુસુફ અલી એમએ યુસુફ અલીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં આ જાહેરાત કરી છે. લુલુ ગ્રુપના ચેરમેને કહ્યું કે શોપિંગ મોલનું બાંધકામ 2024માં જ શરૂ થઇ જશે.

ન્યૂઝ એજન્સી ANIને લુલુ ગ્રુપના ચેરમેન એમએ યુસુફ અલીએ જણાવ્યું કે, “અહીં છેલ્લા 20 વર્ષથી વાયબ્રન્ટ ગુજરાતનું આયોજન કરવામાં આવે છે જે વડાપ્રધાન મોદીનું વિઝન છે, અમે અમદાવાદ અને ચેન્નાઇમાં એક સૌથી મોટા શોપિંગ મોલ બનાવવા જઇ રહ્યાં છીએ. અમે આ મહિનાના અંતમાં હૈદરાબાદમાં અમારો શોપિંગ મોલ ખોલી રહ્યાં છીએ. તેમજ અમે શોપિંગ મોલ્સ અને ફૂડ પ્રોસેસિંગ માટે જુદા જુદા રાજ્યોમાં જઈ રહ્યા છીએ. હું વડાપ્રધાન અને મુખ્યમંત્રીને અભિનંદન પાઠવું છું.” સપ્ટેમ્બર 2023માં લુલુ ગ્રુપના યુસુફ અલીએ એક સંકેત આપ્યો હતો કે તેમનું ગ્રુપ ભારતમાં બે મોટા શોપિંગ મોલ- અમદાવાદ અને ચેન્નાઇમાં બનાવવા માટે જઇ રહ્યું છે.

લુલુ એક અરબી નામ છે, જેનો અર્થ મોતી થાય છે. આ નામ પર યૂસુફ અલીએ પોતાની કંપનીનું નામ લુલુ ગ્રુપ ઇન્ટરનેશનલ રાખ્યુ છે. લુલુ ગ્રુપ હાઇપરમાર્કેટ અને રિટેલ કંપનીઓની એક મોટી ચેન ચલાવે છે. આ ગ્રુપનો વેપાર સૌથી વધુ અરબ દેશ ખાસ કરીને UAEમાં ફેલાયેલો છે. આ ગ્રુપનો બિઝનેસ મધ્ય પૂર્વ, એશિયા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા અને યૂરોપ સહિત 24 દેશમાં છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...