Wednesday, March 4, 2026

અમદાવાદ લાલબત્તી સમાન કિસ્સો : ઘરઘાટી ઘરમાંથી રૂ.30.30 લાખના દાગીના, રોકડ ભરેલું લોકર ઉઠાવી ગયો

spot_img
Share

અમદાવાદ: શહેરમાં એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. શહેરના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા ફેક્ટરી માલિકના ઘરેથી ઘરઘાટીએ 30 લાખની ચોરી કરી છે. આ વેપારીએ ઘરઘાટીના જરૂરી દસ્તાવેજ સહિતની તમામ વિગતો પોલીસ સ્ટેશનમાં આપી હતી. તેમ છતાં ઘરઘાટી ઘરમાંથી લાખોની ચોરીને કરીને રફૂચક્કર થઇ ગયો છે. આ ચોરીના સીસીટીવી પણ સામે આવ્યા છે. સેટેલાઇટ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ મામલે મળતા રિપોર્ટ મુજબ, નહેરુનગરમાં આવેલી સુમધુર સોસાયટીમાં રોહન અગ્રવાલ રહે છે. જેમની વટવા જીઆઇડીસીમાં કેમિકલની ફેક્ટરી છે. તેમના ઘરે પશ્ચિમ બંગાળનો રમેશ ચક્રબોર્તી બે મહિનાથી ઘરઘાટી તરીકે કામ કરતો હતો. 20 જાન્યુઆરીએ સવારે છ વાગ્યે સુપ્રિયાબહેન મુંબઈ ગયા હતા. જ્યારે રોહનભાઈ અને પિતા રાધેશ્યામ ફેક્ટરી પર ગયા હતા. જ્યારે ઇન્દુબહેન અને ત્રણ નોકર આખો દિવસ ઘરે જ હતા. 21મીએ સવારે 11.30 વાગ્યે સુપ્રિયાબહેન પાછાં આવ્યાં હતાં અને દાગીના તિજોરી (લોકર) માં મૂકવા બેડરૂમમાં ગયા હતા, પરંતુ લોકર ન હતું. તે લોકરમાં રોકડા રૂ.1.85 લાખ તેમ જ સુપ્રિયાબહેન અને ઈન્દુબહેનના સોનાના અને ડાયમંડના રૂ.28.45 લાખની કિંમતના દાગીના મૂકેલા હતા.

આથી રોહનભાઈએ બંગલાના સીસીટીવીના ફૂટેજ ચેક કરતા 20 જાન્યુઆરીએ સવારે 6 વાગ્યાથી સાંજના 5.30 વાગ્યા સુધીમાં રમેશ ચક્બોર્તી એક મોટો થેલો લઈને બંગલાની બહાર જતો દેખાતો હતો. આથી રોહનભાઈએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી એક ટીમ પશ્ચિમ બંગાળ મોકલવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...