Thursday, January 15, 2026

અમદાવાદ લાલબત્તી સમાન કિસ્સો : ઘરઘાટી ઘરમાંથી રૂ.30.30 લાખના દાગીના, રોકડ ભરેલું લોકર ઉઠાવી ગયો

spot_img
Share

અમદાવાદ: શહેરમાં એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. શહેરના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા ફેક્ટરી માલિકના ઘરેથી ઘરઘાટીએ 30 લાખની ચોરી કરી છે. આ વેપારીએ ઘરઘાટીના જરૂરી દસ્તાવેજ સહિતની તમામ વિગતો પોલીસ સ્ટેશનમાં આપી હતી. તેમ છતાં ઘરઘાટી ઘરમાંથી લાખોની ચોરીને કરીને રફૂચક્કર થઇ ગયો છે. આ ચોરીના સીસીટીવી પણ સામે આવ્યા છે. સેટેલાઇટ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ મામલે મળતા રિપોર્ટ મુજબ, નહેરુનગરમાં આવેલી સુમધુર સોસાયટીમાં રોહન અગ્રવાલ રહે છે. જેમની વટવા જીઆઇડીસીમાં કેમિકલની ફેક્ટરી છે. તેમના ઘરે પશ્ચિમ બંગાળનો રમેશ ચક્રબોર્તી બે મહિનાથી ઘરઘાટી તરીકે કામ કરતો હતો. 20 જાન્યુઆરીએ સવારે છ વાગ્યે સુપ્રિયાબહેન મુંબઈ ગયા હતા. જ્યારે રોહનભાઈ અને પિતા રાધેશ્યામ ફેક્ટરી પર ગયા હતા. જ્યારે ઇન્દુબહેન અને ત્રણ નોકર આખો દિવસ ઘરે જ હતા. 21મીએ સવારે 11.30 વાગ્યે સુપ્રિયાબહેન પાછાં આવ્યાં હતાં અને દાગીના તિજોરી (લોકર) માં મૂકવા બેડરૂમમાં ગયા હતા, પરંતુ લોકર ન હતું. તે લોકરમાં રોકડા રૂ.1.85 લાખ તેમ જ સુપ્રિયાબહેન અને ઈન્દુબહેનના સોનાના અને ડાયમંડના રૂ.28.45 લાખની કિંમતના દાગીના મૂકેલા હતા.

આથી રોહનભાઈએ બંગલાના સીસીટીવીના ફૂટેજ ચેક કરતા 20 જાન્યુઆરીએ સવારે 6 વાગ્યાથી સાંજના 5.30 વાગ્યા સુધીમાં રમેશ ચક્બોર્તી એક મોટો થેલો લઈને બંગલાની બહાર જતો દેખાતો હતો. આથી રોહનભાઈએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી એક ટીમ પશ્ચિમ બંગાળ મોકલવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...