Friday, March 13, 2026

અમદાવાદીઓ સાવધાન, આજથી જાહેર રસ્તા ઉપર થૂંકનારા પાસેથી દંડ વસૂલાશે, CCTV કેમેરાની મદદ લેવાશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદને સ્વચ્છ શહેર બનાવવા આજથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સઘન ઝૂંબેશ શરુ કરવામાં આવશે.જો હવે તમે રોડ ઉપર પાન- મસાલાની પિચકારી મારશો તો રૂ.50 થી 100 સુધીનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવશે.વિવિધ રસ્તા ઉપર સ્માર્ટ સિટી દ્વારા લગાવવામાં આવેલી CCTV કેમેરાની મદદ લેવાશે.ઉપરાંત લોકો જાહેર રસ્તા ઉપર થૂંકતા બંધ થાય એ માટે વિશેષ સ્કવોર્ડ ફરજ ઉપર મુકવામાં આવશે.આગામી સમયમાં શહેરના રસ્તા ઉપર લોકોને થૂંકતા,કચરો ફેંકી ગંદકી કરતા અટકાવવા ખાસ પોલિસી બનાવીને તેનો અમલ કરવામાં આવશે.

મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસને તંત્રના વિવિધ વિભાગના અધિકારીઓ સાથેની બેઠકમાં શહેરને કલીન સિટી બનાવવાના ભાગરુપે આજથી સમગ્ર શહેરમાં આવેલા જાહેર રસ્તા ઉપર લોકો જાહેરમાં થૂંકતા બંધ થાય એ માટે અસરકારક કામગીરી કરવા આદેશ આપ્યો હતો.કમિશનરે કહયુ,ગુજરાત મ્યુનિસિપલ પ્રોવેન્શિયલ એકટ હેઠળ સત્તા મળેલી છે એનો ઉપયોગ કરી શહેરને વધુ સ્વચ્છ બનાવવા ઝૂંબેશ શરુ કરો.એકટની જોગવાઈ મુજબ,હાલમાં જાહેર રસ્તા ઉપર થૂંકતા લોકો પાસેથી મ્યુનિ.તંત્ર રૂ.50 થી 100 સુધીનો વહીવટી ચાર્જ વસૂલ કરી શકે છે.તેમણે મ્યુનિ.ના સોલિડ વેસ્ટ વિભાગની સાથે હેલ્થ તથા અન્ય વિભાગને સંકલન કરી શહેરીજનો જાહેર રસ્તા ઉપર થૂંકતા બંધ થાય એ માટે વિશેષ સ્કવોર્ડ બનાવી વિવિધ વોર્ડ વિસ્તારમાં ફરજ ઉપર મુકવા સુચના પણ આપી હતી.

જાહેર રોડ ઉપર ઉભા રહી થૂંકી ગંદકી ફેલાવવામાં આવશે તો કોર્પોરેશનની ટીમ દ્વારા રૂ.50 થી 100 સુધીનો દંડ કરવામાં આવશે. જ્યારે વાહન ઉપર જતા સમયે ટૂંકી અને ગંદકી ફેલાવવામાં આવશે તો 50થી લઇ 500 રૂપિયાનો દંડ થઈ શકે છે. સ્માર્ટ સિટી અંતર્ગત લાગેલા CCTV કેમેરા મારફતે પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોનિટરિંગ કરી અને આવા લોકોને ઈ મેમો મારફતે દંડ ફટકારવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...