Sunday, January 18, 2026

અમદાવાદીઓ સાવધાન, આજથી જાહેર રસ્તા ઉપર થૂંકનારા પાસેથી દંડ વસૂલાશે, CCTV કેમેરાની મદદ લેવાશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદને સ્વચ્છ શહેર બનાવવા આજથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સઘન ઝૂંબેશ શરુ કરવામાં આવશે.જો હવે તમે રોડ ઉપર પાન- મસાલાની પિચકારી મારશો તો રૂ.50 થી 100 સુધીનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવશે.વિવિધ રસ્તા ઉપર સ્માર્ટ સિટી દ્વારા લગાવવામાં આવેલી CCTV કેમેરાની મદદ લેવાશે.ઉપરાંત લોકો જાહેર રસ્તા ઉપર થૂંકતા બંધ થાય એ માટે વિશેષ સ્કવોર્ડ ફરજ ઉપર મુકવામાં આવશે.આગામી સમયમાં શહેરના રસ્તા ઉપર લોકોને થૂંકતા,કચરો ફેંકી ગંદકી કરતા અટકાવવા ખાસ પોલિસી બનાવીને તેનો અમલ કરવામાં આવશે.

મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસને તંત્રના વિવિધ વિભાગના અધિકારીઓ સાથેની બેઠકમાં શહેરને કલીન સિટી બનાવવાના ભાગરુપે આજથી સમગ્ર શહેરમાં આવેલા જાહેર રસ્તા ઉપર લોકો જાહેરમાં થૂંકતા બંધ થાય એ માટે અસરકારક કામગીરી કરવા આદેશ આપ્યો હતો.કમિશનરે કહયુ,ગુજરાત મ્યુનિસિપલ પ્રોવેન્શિયલ એકટ હેઠળ સત્તા મળેલી છે એનો ઉપયોગ કરી શહેરને વધુ સ્વચ્છ બનાવવા ઝૂંબેશ શરુ કરો.એકટની જોગવાઈ મુજબ,હાલમાં જાહેર રસ્તા ઉપર થૂંકતા લોકો પાસેથી મ્યુનિ.તંત્ર રૂ.50 થી 100 સુધીનો વહીવટી ચાર્જ વસૂલ કરી શકે છે.તેમણે મ્યુનિ.ના સોલિડ વેસ્ટ વિભાગની સાથે હેલ્થ તથા અન્ય વિભાગને સંકલન કરી શહેરીજનો જાહેર રસ્તા ઉપર થૂંકતા બંધ થાય એ માટે વિશેષ સ્કવોર્ડ બનાવી વિવિધ વોર્ડ વિસ્તારમાં ફરજ ઉપર મુકવા સુચના પણ આપી હતી.

જાહેર રોડ ઉપર ઉભા રહી થૂંકી ગંદકી ફેલાવવામાં આવશે તો કોર્પોરેશનની ટીમ દ્વારા રૂ.50 થી 100 સુધીનો દંડ કરવામાં આવશે. જ્યારે વાહન ઉપર જતા સમયે ટૂંકી અને ગંદકી ફેલાવવામાં આવશે તો 50થી લઇ 500 રૂપિયાનો દંડ થઈ શકે છે. સ્માર્ટ સિટી અંતર્ગત લાગેલા CCTV કેમેરા મારફતે પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોનિટરિંગ કરી અને આવા લોકોને ઈ મેમો મારફતે દંડ ફટકારવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...