Sunday, March 1, 2026

ગુજરાતની આ બેઠક પર કોંગ્રેસને નથી મળી રહ્યો ઉમેદવાર, ઉમેદવારને શોધવા કોંગ્રેસના હવાતિયા

spot_img
Share

વડોદરા : લોકસભા ચૂંટણીની જાહેરાત થઇ છે પરંતુ ગુજરાતમાં કોંગ્રેસ માટે એક સાંધે ત્યાં તેર તુટે જીવી સ્થીતી સર્જાઇ છે. BJP દ્વારા તમામ બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે પરંતુ કોંગ્રેસને વડોદરા લોકસભા બેઠક માટે ઉમેદવાર નથી મળી રહ્યા. આ બેઠક પર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા કોઈ તૈયાર નથી. કોંગ્રેસ જે ચહેરાને ઉતારવા માગે છે તેમણે ના પાડી દીધી હોવાની વાત સામે આવી રહી છે.

પ્રાપ્ત જાણકારી મુજબ કોંગ્રેસ દ્વારા લોકસભાની ચૂંટણી માટે બાકીના ઉમેદવારોની પસંદગી કરવામા આવી રહી છે કેટલાક ઉમેદવારોના નામ ફાઈનલ કરી દેવામા આવ્યા છે જો કે ગુજરાતની બહુચર્ચિત બેઠક પર કોંગ્રેસ ઉમેદવારને લઈને ગોથે ચઢી છે કેમકે આ બેઠક પરથી ચૂંટણી લડવા માટે જે દિગ્ગજ નેતાઓના નામ ચર્ચામાં હતા તેઓ ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે. જેમાં ચંદ્રકાંત શ્રીવાસ્તવ, અમી રાવત, નરેન્દ્ર રાવત, જશપાલસિંહ પઢિયાર ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે. જ્યારે ઋત્વિજ જોશી, ગુણવંત પરમાર, ભીખા રબારી આ બેઠક પરથી ચુંટણી લડવા માટે ટીકીટ માંગી રહ્યા છે. પરંતુ ઋત્વિજ જોશી અને ગુણવંત પરમારની વિધાનસભા ચૂંટણીમાં હારમી હાર થઈ હતી જે જોતા કોંગ્રેસ તેમને આ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડાવવા તૈયાર નથી. ભાજપના ઉમેદવારને ટક્કર આપી શકે તેવા મજબુત ઉમેદવારને કોંગ્રેસ શોધી રહી છે પરંતુ હજુ સુધી કોંગ્રેસને તેવો મજબુત ચહેરો મળી રહ્યો નથી.

કોંગ્રસે માટે હજુ 7 મૂરતિયા શોધવાના બાકી છે જેમાં મહેસાણા, નવસારી, વડોદરા, અમદાવાદ પૂર્વ, સુરેન્દ્રનગર, રાજકોટ અને જૂનાગઢનો સમાવેશ થાય છે. લોકસભાની સાથે ગુજરાતની 5 વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણીઓ યોજાવાની છે. જેમાં વિજાપુર, પોરબંદર, માણાવદર, ખંભાત અને વાઘોડિયા, પણ લોકસભાની ચૂંટણી સાથે યોજાશે. આ ચૂંટણી માટે ભાજપે ભાજપે આ તમામ બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે, જ્યારે કોંગ્રેસ પક્ષે પેટાચૂંટણીને લઈને કોઈ જાહેરાત કરી નથી.

મહત્વનું છે કે, કહેવાતા દિગ્ગજ નેતાઓએ ચૂંટણી લડવાનો ઈનકાર કરી દેતા કોંગ્રેસની મુશ્કેલીઓ વધી છે. ત્યારે કોંગ્રેસ 1 બે દિવસમાં બાકીના ઉમેદવારોની જાહેરાત કરે તેવી શક્યતાઓ છે. ત્યારે હવે કઈ બેઠક પરથી કોને મેદાનમાં ઉતારવામા આવે છે તે જોવું રહ્યું,..

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...