Sunday, March 15, 2026

ગુજરાતમાં કોરોનાની ફરી એન્ટ્રી, કુલ 42 એક્ટિવ કેસ, સિવિલ હોસ્પિટલ ખાતે 5 દર્દીઓ દાખલ

spot_img
Share

અમદાવાદ : સ્વાઈન ફ્લૂ વચ્ચે ગુજરાતમાં કોરોનાએ પણ ફરી એન્ટ્રી કરી છે. ગત માર્ચમાં કોરોના મહામારી એ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યુ હતું. ત્યારે આ જ કોરોનાએ ફરી માથુ ઉચક્યુ છે. ગુજરાતમાં કોવિડના 42 એક્ટિવ કેસ છે. હાલ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ત્રણ દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સ્વાઈન ફ્લૂના 5 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. જ્યારે કે કોરોનાના ત્રણ દર્દીઓ છે. કોવિડના ત્રણમાંથી બે દર્દી ખાનગી હોસ્પિટલમાં ટ્રાન્સફર થયા છે. તો સ્વાઈન ફ્લૂના પાંચમાંથી ત્રણ દર્દીની તબિયત ગંભીર છે. કુલ 5 દર્દીમાંથી 4 દર્દીને કોમોર્બિડિટી એટલે કે અગાઉથી જ ડાયાબિટીસ બ્લડ પ્રેશર અથવા હૃદયની સમસ્યા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે કોવિડ 19ના ત્રણ દર્દીમાંથી 2 મહિલાઓ અને 1 પુરુષ હાલમાં સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. તમામ દર્દીઓને હાલમાં ઓક્સિજન આપીને તેમની તબિયતમાં સુધારો લાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે.

હાલ આ પરિસ્થિતિ વચ્ચે કોરોના કેસમાં પણ વધારો થયો છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે 71 વર્ષીય વૃદ્ધને કોરોના પોઝિટિવ આવ્યા બાદ વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.

છેલ્લા કેટલાક સમયથી ખાંસી અને શરદી દરેકને પરેશાન કરી રહી છે. પરંતુ તે કોરોના વાયરસ ચેપ પણ હોઈ શકે છે. કોવિડના આ લક્ષણો પર ધ્યાન આપો. ડોકટરોના જણાવ્યા અનુસાર, કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓમાં જોવા મળતા સામાન્ય લક્ષણોમાં તાવ, ઉધરસ, શરદી, ગંધ ન આવવી, ન્યુમોનિયા જેવા લક્ષણો અને આંખમાં ચેપનો સમાવેશ થાય છે. જોકે મોટાભાગના લક્ષણો હળવા દેખાય છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...