Thursday, April 30, 2026

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહએ ક્ષત્રિય સમાજ પર પહેલીવાર આપી પ્રતિક્રિયા

spot_img
Share

અમદાવાદ : લોકસભા ચૂંટણી 2024ને લઈ દેશભરમાં નેતાઓ અને મંત્રીઓ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજરોજ ગુજરાતમાં સાણંદ કલોલની અંદર કેન્દ્રીય મંત્રી અમિત શાહનો ભવ્ય રોડ શો યોજવામાં આવ્યો હતો. તે ઉપરાંત અમદાવાદની અંદર રાણીપ, ઘાટલોડિયા, નારણપુરાથી લઈ વેજલપુર સુધી રોડ શોનું આયોજન કરાયું છે.આજે તેઓ 6 વિધાનસભા બેઠકોને આવરી લેતો મેરેથોન રોડ શો યોજી રહ્યા છે. આ રોડ શો દરમિયાન તેમણે રુપાલા વિવાદ અંગે મહત્વનું નિવેદન આપ્યું હતું.

અમિત શાહે રોડ શો દરમિયાન મીડિયા સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે, અહીંથી મારુ પાલન પોષણ થયું, 30 વર્ષ સુધી જનપ્રતિનિધી રહ્યો. સેંકડો દિવાલા પર કમળ છપાવ્યા છે. લોકો ખુબ ઉત્સાહથી સ્વાગત કરી રહ્યા છે. અહીં મોદી જ ચાલે છે. વધુમાં તેમણે 400 પાર સાથે જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, વધુમાં તેમણે ગુજરાતમાં ક્ષત્રિય સમાજના વિરોધ અંગે જણાવ્યુ કે, રુપાલાએ ક્ષત્રિય સમાજની માફી માંગી લીધી છે. મને વિશ્વાસ છે કે, ક્ષત્રિય સમાજ રુપાલાને માફ કરશે. ભાજપની સાથે ક્ષત્રિય સમાજ છે.

તમને જણાવી દઈએ કે, રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રુપાલાએ ક્ષત્રિય સમાજના વિરોધની વચ્ચે પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે આ સાથે જ તેઓ ચૂંટણી પ્રચારમાં પણ લાગી ગયા છે ભાજપ કોઈ પણ કિંમતે રુપાલાને બદલવા તૈયાર નથી, ત્યારે બીજી તરફ ક્ષત્રિય સમાજમાં રુપાલાને લઈને રોષ શાંત નથી થઈ રહ્યો. ત્યારે અમિત શાહે આજે રોડ શો માં સ્પષ્ટતા કરી દીધી છે રુપાલાને ભાજપ લડાવશે જ અને ક્ષત્રિય સમાજ રુપાલાને માફ કરી દેશે.

મહત્વનું છે કે, ભાજપ દ્વારા ક્યાંકને ક્યાક આ વિવાદને ડામવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે. ગત બુધવારે મોડી રાત્રે મુખ્યમંત્રી તેમજ સી આર પાટીલ અને અમિત શાહના નિવાસ્થાને પહોંચ્યા હતા. જ્યાં બેધ બારણે 15-20 મીનીટ ચર્ચા કરવામા આવી હતી. જાણવા મળી રહ્યું છે કે, આ બેઠકમાં અમિશાહ સમક્ષ ક્ષત્રિય નેતાઓની વાત પહોંચાડાઈ હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...