Tuesday, February 10, 2026

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહએ ક્ષત્રિય સમાજ પર પહેલીવાર આપી પ્રતિક્રિયા

spot_img
Share

અમદાવાદ : લોકસભા ચૂંટણી 2024ને લઈ દેશભરમાં નેતાઓ અને મંત્રીઓ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજરોજ ગુજરાતમાં સાણંદ કલોલની અંદર કેન્દ્રીય મંત્રી અમિત શાહનો ભવ્ય રોડ શો યોજવામાં આવ્યો હતો. તે ઉપરાંત અમદાવાદની અંદર રાણીપ, ઘાટલોડિયા, નારણપુરાથી લઈ વેજલપુર સુધી રોડ શોનું આયોજન કરાયું છે.આજે તેઓ 6 વિધાનસભા બેઠકોને આવરી લેતો મેરેથોન રોડ શો યોજી રહ્યા છે. આ રોડ શો દરમિયાન તેમણે રુપાલા વિવાદ અંગે મહત્વનું નિવેદન આપ્યું હતું.

અમિત શાહે રોડ શો દરમિયાન મીડિયા સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે, અહીંથી મારુ પાલન પોષણ થયું, 30 વર્ષ સુધી જનપ્રતિનિધી રહ્યો. સેંકડો દિવાલા પર કમળ છપાવ્યા છે. લોકો ખુબ ઉત્સાહથી સ્વાગત કરી રહ્યા છે. અહીં મોદી જ ચાલે છે. વધુમાં તેમણે 400 પાર સાથે જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, વધુમાં તેમણે ગુજરાતમાં ક્ષત્રિય સમાજના વિરોધ અંગે જણાવ્યુ કે, રુપાલાએ ક્ષત્રિય સમાજની માફી માંગી લીધી છે. મને વિશ્વાસ છે કે, ક્ષત્રિય સમાજ રુપાલાને માફ કરશે. ભાજપની સાથે ક્ષત્રિય સમાજ છે.

તમને જણાવી દઈએ કે, રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રુપાલાએ ક્ષત્રિય સમાજના વિરોધની વચ્ચે પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે આ સાથે જ તેઓ ચૂંટણી પ્રચારમાં પણ લાગી ગયા છે ભાજપ કોઈ પણ કિંમતે રુપાલાને બદલવા તૈયાર નથી, ત્યારે બીજી તરફ ક્ષત્રિય સમાજમાં રુપાલાને લઈને રોષ શાંત નથી થઈ રહ્યો. ત્યારે અમિત શાહે આજે રોડ શો માં સ્પષ્ટતા કરી દીધી છે રુપાલાને ભાજપ લડાવશે જ અને ક્ષત્રિય સમાજ રુપાલાને માફ કરી દેશે.

મહત્વનું છે કે, ભાજપ દ્વારા ક્યાંકને ક્યાક આ વિવાદને ડામવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે. ગત બુધવારે મોડી રાત્રે મુખ્યમંત્રી તેમજ સી આર પાટીલ અને અમિત શાહના નિવાસ્થાને પહોંચ્યા હતા. જ્યાં બેધ બારણે 15-20 મીનીટ ચર્ચા કરવામા આવી હતી. જાણવા મળી રહ્યું છે કે, આ બેઠકમાં અમિશાહ સમક્ષ ક્ષત્રિય નેતાઓની વાત પહોંચાડાઈ હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...