Wednesday, March 4, 2026

અમદાવાદનો સનસનાટી મચાવે તેવો કિસ્સો, 16 વર્ષીય સગીરા પર પરિણીત યુવકે આચર્યું દુષ્કર્મ, પોલીસે કરી ધરપકડ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના સરખેજમાં બોપલ બ્રિજ નજીક 16 વર્ષની સગીરા સાથે દુષ્કર્મનો બનાવ બન્યો છે. આરોપી વિપુલ વાઘેલાએ 16 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યું છે. ઘટનાની વાત કરીએ તો કન્સ્ટ્રકશન સાઇટ પર મજૂરી કરતો પરિવાર બોપલ બ્રિજ નીચે ફૂટપાથ પર સૂતો હતો. ત્યારે એક 16 વર્ષની સગીરા પોતાની માતા સાથે સુઈ રહી હતી. તે સમયે આરોપીએ તેનો મો દબાવીને ત્યાંથી લઈ ગયો હતો. ત્યારબાદ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. જે મામલે સરખેજ પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ શહેરના સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુષ્કર્મની ઘટના સામે આવી છે. સરખેજની હદમાં આવતા બોપલ વકીલ સાહેબ બ્રિજની નીચે શ્રમીક પરિવાર વસવાટ કરે છે. જ્યાં શનિવારે રાતના સમયે 16 વર્ષની સગીરા સુઈ રહી હતી તે સમયે 19 વર્ષીય વિપુલ વાધેલા ત્યાં આવ્યો હતો અને સગીરાનું મોઢુ દબાવી બળબજરી પુર્વક તેની સાથે શારિરીક સંબંધ બાંધ્યા હતા. જે ઘટનાને લઈને સગીરાએ માતાને જાણ કરતા માતાએ સરખેજ પોલીસ મથકે આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી.

સરખેજ પોલીસે દુષ્કર્મ અને પોક્સોનો ગુનો દાખલ કરી ગુનામાં સામેલ આરોપી વિપુલ વાધેલાની ધરપકડ કરી છે. આરોપી પોતે પરિણીત હોવાનું તપાસમાં સામે આવ્યું છે અને તેની પત્ની હાલ ગર્ભવતી છે. હાલ તો સરખેજ પોલીસે સગીરાનું મેડિકલ ચેકએપ કરાવીને તેમજ આરોપીને કોર્ટમાં રજૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...