Thursday, April 30, 2026

અમદાવાદના આ વિસ્તારમાં ભીમ સંગઠન દ્વારા બુદ્ધપૂર્ણિમાની અનોખી ઉજવણી

spot_img
Share

અમદાવાદ : 23 મે 2024 અને ગુરુવારે દેશભરમાં બુદ્ધ પૂર્ણિમા ઉજવાઈ રહી છે. ત્યારે આ પવિત્ર દિવસે અમદાવાદમાં પણ ભીમ સંગઠન દ્વારા બુદ્ધપૂર્ણિમાની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. નરોડા પાટિયા પાસે આવેલ વિવિધ સમાજસેવા માટે જાણીતું ભીમ સંગઠન દ્વારા રિવરફ્રન્ટની બુદ્ધ ભગવાનની પ્રતિમાને સ્નાન કરાવી તેમનું પૂજન કર્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદમાં નરોડા પાટીયા પાસે આવેલ ભીમ સંગઠન તેમની વિવિધ સમાજસેવાની પ્રવૃત્તિઓ માટે જાણીતું છે..આજે બુદ્ધપૂર્ણિમાના પાવન દિવસે ભીમસંગઠને શાહીબાગ ડફનાળા પાસે આવેલ રિવરફ્રન્ટની બુદ્ધ ભગવાનની પ્રતિમાને સ્નાન કરાવી તેમનું પૂજન કર્યું હતું. આવતા જતા રાહદારીઓ રોજે રોજ આ પાવન શાંતમુદ્રામાં લીન બુદ્ધ ભગવાનના દર્શન કરે ત્યારે દર્શનની એ શ્રદ્ધા મૂર્તિના પવિત્રકરણ સાથે થાય તો ભાવકને પૂર્ણ સંતોષ મળે, એ ઉદેશ્ય અને સાથે સાથે શહેરની નાની મોટા ધાર્મિક સ્મારકોને સુઘડ અને સ્વચ્છ રાખવાની ભાવના માટે ભીમ સંગઠનને આ ભગીરથ કાર્ય પાર પાડ્યું હતું.

ભીમ સંગઠનના સભ્યો નરેશભાઈ, જગદીશભાઈ, દિનેશભાઇ તથા અજીતભાઈના જણાવ્યા મુજબ નરોડા પાટિયા પાસે ડો. ભીમરાવ આંબેડકરની પ્રતિમાનું સ્થાપન પણ અમારા સંગઠને કરેલ છે..અને આ સાથે ઉનાળામાં પાણીની પરબ હોય, પક્ષીઓ માટે ચણ – પાણીના કુંડાનું વિતરણ હોય, તદુપરાંત જ્યાં પણ કોઈ સામાજિક કે ધાર્મિક પ્રસંગે અમારી જરૂર જણાય અમારું સંગઠન તન, મન અને ધનથી સેવામાં જોડાય છે.જો દરેક વિસ્તારમાં આવા જાગૃત સંગઠન કાર્યરત હોય તો સમાજ અને દેશનું ભાવિ યોગ્ય હાથમાં છે કહેવું યથા યોગ્ય છે.

કહેવાય છે કે દેશમાં આજે મહત્તમ યુવાધન છે, બસ જરૂર છે એને યોગ્ય દિશા મળે.. આવી ઉન્નત ભાવનાને સાકાર કરનાર એક યુવા સંગઠનનું ઉત્તમ કાર્ય આજે બુદ્ધપૂર્ણિમાએ જોવા મળ્યું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...