Wednesday, January 14, 2026

અમદાવાદના આ વિસ્તારમાં ભીમ સંગઠન દ્વારા બુદ્ધપૂર્ણિમાની અનોખી ઉજવણી

spot_img
Share

અમદાવાદ : 23 મે 2024 અને ગુરુવારે દેશભરમાં બુદ્ધ પૂર્ણિમા ઉજવાઈ રહી છે. ત્યારે આ પવિત્ર દિવસે અમદાવાદમાં પણ ભીમ સંગઠન દ્વારા બુદ્ધપૂર્ણિમાની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. નરોડા પાટિયા પાસે આવેલ વિવિધ સમાજસેવા માટે જાણીતું ભીમ સંગઠન દ્વારા રિવરફ્રન્ટની બુદ્ધ ભગવાનની પ્રતિમાને સ્નાન કરાવી તેમનું પૂજન કર્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદમાં નરોડા પાટીયા પાસે આવેલ ભીમ સંગઠન તેમની વિવિધ સમાજસેવાની પ્રવૃત્તિઓ માટે જાણીતું છે..આજે બુદ્ધપૂર્ણિમાના પાવન દિવસે ભીમસંગઠને શાહીબાગ ડફનાળા પાસે આવેલ રિવરફ્રન્ટની બુદ્ધ ભગવાનની પ્રતિમાને સ્નાન કરાવી તેમનું પૂજન કર્યું હતું. આવતા જતા રાહદારીઓ રોજે રોજ આ પાવન શાંતમુદ્રામાં લીન બુદ્ધ ભગવાનના દર્શન કરે ત્યારે દર્શનની એ શ્રદ્ધા મૂર્તિના પવિત્રકરણ સાથે થાય તો ભાવકને પૂર્ણ સંતોષ મળે, એ ઉદેશ્ય અને સાથે સાથે શહેરની નાની મોટા ધાર્મિક સ્મારકોને સુઘડ અને સ્વચ્છ રાખવાની ભાવના માટે ભીમ સંગઠનને આ ભગીરથ કાર્ય પાર પાડ્યું હતું.

ભીમ સંગઠનના સભ્યો નરેશભાઈ, જગદીશભાઈ, દિનેશભાઇ તથા અજીતભાઈના જણાવ્યા મુજબ નરોડા પાટિયા પાસે ડો. ભીમરાવ આંબેડકરની પ્રતિમાનું સ્થાપન પણ અમારા સંગઠને કરેલ છે..અને આ સાથે ઉનાળામાં પાણીની પરબ હોય, પક્ષીઓ માટે ચણ – પાણીના કુંડાનું વિતરણ હોય, તદુપરાંત જ્યાં પણ કોઈ સામાજિક કે ધાર્મિક પ્રસંગે અમારી જરૂર જણાય અમારું સંગઠન તન, મન અને ધનથી સેવામાં જોડાય છે.જો દરેક વિસ્તારમાં આવા જાગૃત સંગઠન કાર્યરત હોય તો સમાજ અને દેશનું ભાવિ યોગ્ય હાથમાં છે કહેવું યથા યોગ્ય છે.

કહેવાય છે કે દેશમાં આજે મહત્તમ યુવાધન છે, બસ જરૂર છે એને યોગ્ય દિશા મળે.. આવી ઉન્નત ભાવનાને સાકાર કરનાર એક યુવા સંગઠનનું ઉત્તમ કાર્ય આજે બુદ્ધપૂર્ણિમાએ જોવા મળ્યું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...