Wednesday, March 11, 2026

અમદાવાદના આ વિસ્તારમાં ભીમ સંગઠન દ્વારા બુદ્ધપૂર્ણિમાની અનોખી ઉજવણી

spot_img
Share

અમદાવાદ : 23 મે 2024 અને ગુરુવારે દેશભરમાં બુદ્ધ પૂર્ણિમા ઉજવાઈ રહી છે. ત્યારે આ પવિત્ર દિવસે અમદાવાદમાં પણ ભીમ સંગઠન દ્વારા બુદ્ધપૂર્ણિમાની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. નરોડા પાટિયા પાસે આવેલ વિવિધ સમાજસેવા માટે જાણીતું ભીમ સંગઠન દ્વારા રિવરફ્રન્ટની બુદ્ધ ભગવાનની પ્રતિમાને સ્નાન કરાવી તેમનું પૂજન કર્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદમાં નરોડા પાટીયા પાસે આવેલ ભીમ સંગઠન તેમની વિવિધ સમાજસેવાની પ્રવૃત્તિઓ માટે જાણીતું છે..આજે બુદ્ધપૂર્ણિમાના પાવન દિવસે ભીમસંગઠને શાહીબાગ ડફનાળા પાસે આવેલ રિવરફ્રન્ટની બુદ્ધ ભગવાનની પ્રતિમાને સ્નાન કરાવી તેમનું પૂજન કર્યું હતું. આવતા જતા રાહદારીઓ રોજે રોજ આ પાવન શાંતમુદ્રામાં લીન બુદ્ધ ભગવાનના દર્શન કરે ત્યારે દર્શનની એ શ્રદ્ધા મૂર્તિના પવિત્રકરણ સાથે થાય તો ભાવકને પૂર્ણ સંતોષ મળે, એ ઉદેશ્ય અને સાથે સાથે શહેરની નાની મોટા ધાર્મિક સ્મારકોને સુઘડ અને સ્વચ્છ રાખવાની ભાવના માટે ભીમ સંગઠનને આ ભગીરથ કાર્ય પાર પાડ્યું હતું.

ભીમ સંગઠનના સભ્યો નરેશભાઈ, જગદીશભાઈ, દિનેશભાઇ તથા અજીતભાઈના જણાવ્યા મુજબ નરોડા પાટિયા પાસે ડો. ભીમરાવ આંબેડકરની પ્રતિમાનું સ્થાપન પણ અમારા સંગઠને કરેલ છે..અને આ સાથે ઉનાળામાં પાણીની પરબ હોય, પક્ષીઓ માટે ચણ – પાણીના કુંડાનું વિતરણ હોય, તદુપરાંત જ્યાં પણ કોઈ સામાજિક કે ધાર્મિક પ્રસંગે અમારી જરૂર જણાય અમારું સંગઠન તન, મન અને ધનથી સેવામાં જોડાય છે.જો દરેક વિસ્તારમાં આવા જાગૃત સંગઠન કાર્યરત હોય તો સમાજ અને દેશનું ભાવિ યોગ્ય હાથમાં છે કહેવું યથા યોગ્ય છે.

કહેવાય છે કે દેશમાં આજે મહત્તમ યુવાધન છે, બસ જરૂર છે એને યોગ્ય દિશા મળે.. આવી ઉન્નત ભાવનાને સાકાર કરનાર એક યુવા સંગઠનનું ઉત્તમ કાર્ય આજે બુદ્ધપૂર્ણિમાએ જોવા મળ્યું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...