Monday, November 10, 2025

રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડમાં સૌથી મોટી બેદરકારી, ફાયર NOC ન હોવાનુ ખૂલ્યુ, આગ લાગવાનું મુખ્ય કારણ આવ્યું સામે

spot_img
Share

રાજકોટ : રાજકોટમાં વેકેશનની મજા માણતા 12 બાળકો સહિત 24 લોકોની જિંદગી આગમાં ભૂંજાઈ ગઈ. પરિવારજનોને તો એ પણ નથી ખબર કે પોતાના બાળકોના મૃતદેહ ક્યાં છે. આગ એટલી વિકરાળ હદે ફેલાઈ હતી કે હવે એ માતાપિતા એમના બાળકોના મૃતદેહને પણ ઓળખી નહીં શકે. આગની આ ઘટનામાં માત્ર ગેમઝોનના માલિક જ નહીં તંત્રની પણ સૌથી મોટી બેદરકારી સામે આવી છે. TRP ગેમઝોનમાં ફાયર NOC જ ન હોવાનો મોટો ખુલાસો થયો છે. એટલું જ નહીં કેટલાય સમયથી ચાલતા આ ગેમઝોનનું આજદિન સુધી ફાયર સેફ્ટીની અરજી જ કરાઈ ન હતી.

ત્યારે ફાયર NOC વિના આ ગેમઝોન કોની રહેમનજરથી ધમધમી રહ્યુ હતુ! માસૂમોની જિંદગી સાથે આટલો મોટો ખેલ ખેલવાનો પરવાનો કોણે આપ્યો. જે નિર્દોષ માસૂમો જે બે ઘડીની મજા માણવા માટે ગેમઝોનમાં ગયા હતા તેમને ક્યા ખબર હતી નઘરોળ તંત્રના પાપે તેમને જિંદગીથી હાથ ધોવાનો વારો આવશે.

તંત્રની બેદરકારીની હદ તો એ છે કે ગેમઝોનમાં રહેલા ફાયર સેફ્ટીમા સાધનો માત્ર શોભાના ગાંઠિયા સમાન હોવાનું સામે આવ્યું છે. છેલ્લા કેટલાય સમયથીઆ ગેમઝોન ધમધમે છે અને NOC બાબતે હજુ સુધી કોર્પોરેશનમાં અરજી જ કરાઈ નહોંતી. ત્યારે સવાલ એ પણ છે આજ સુધી તંત્ર દ્વારા પણ કેમ એ બાબતે ચેકિંગ હાથ ધરવામાં ન આવ્યુ ? ક્યા મોટા માથાની રહેમ નજર હેઠળ આ બધુ ચાલી રહ્યુ હતુ તે પણ મોટો સવાલ છે ?

રાજકોટ ગેમઝોનમાં લાગેલી આગની ઘટનામાં સૌપ્રથમ ગેમ ઝોનના ACમાં પ્રચંડ ધડાકો થયો હતો. પ્રચંડ ધડાકા ગેમઝોનમાં ફેલાયો બાદમાં ધૂમાડાના ગોટે ગોટા વળ્યા હતા. આગ અને ધૂમાડા બાદ ગેમઝોનમાં અફરાતફરી સર્જાઇ હતી. જોતજોતામાં આગે ધારણ કર્યું હતું. વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ACમાં શોટસર્કિટ બાદ ફેબ્રિકેશનમાં આગ લાગી હતી. આગ અને ધૂમાડાથી બચવા લોકોમાં નાસભાગ મચી હતી.

રાજકોટમાં નાનામોવા રોડ પર ગેમઝોનમાં લાગેલી ભીષણ આગમાં 24 લોકોના મોત થયા છે. સયાજી હોટલ પાસે TRP ગેમઝોનમાં આગ લાગતા અફરાતફરી મચી હતી. આગની ઘટનામાં 12 બાળકો સહિત 24 લોકોના મોત થયા છે. એક કિમી સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા છે. આગની ઘટનામાં મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...