Thursday, September 18, 2025

રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડમાં સૌથી મોટી બેદરકારી, ફાયર NOC ન હોવાનુ ખૂલ્યુ, આગ લાગવાનું મુખ્ય કારણ આવ્યું સામે

Share

Share

રાજકોટ : રાજકોટમાં વેકેશનની મજા માણતા 12 બાળકો સહિત 24 લોકોની જિંદગી આગમાં ભૂંજાઈ ગઈ. પરિવારજનોને તો એ પણ નથી ખબર કે પોતાના બાળકોના મૃતદેહ ક્યાં છે. આગ એટલી વિકરાળ હદે ફેલાઈ હતી કે હવે એ માતાપિતા એમના બાળકોના મૃતદેહને પણ ઓળખી નહીં શકે. આગની આ ઘટનામાં માત્ર ગેમઝોનના માલિક જ નહીં તંત્રની પણ સૌથી મોટી બેદરકારી સામે આવી છે. TRP ગેમઝોનમાં ફાયર NOC જ ન હોવાનો મોટો ખુલાસો થયો છે. એટલું જ નહીં કેટલાય સમયથી ચાલતા આ ગેમઝોનનું આજદિન સુધી ફાયર સેફ્ટીની અરજી જ કરાઈ ન હતી.

ત્યારે ફાયર NOC વિના આ ગેમઝોન કોની રહેમનજરથી ધમધમી રહ્યુ હતુ! માસૂમોની જિંદગી સાથે આટલો મોટો ખેલ ખેલવાનો પરવાનો કોણે આપ્યો. જે નિર્દોષ માસૂમો જે બે ઘડીની મજા માણવા માટે ગેમઝોનમાં ગયા હતા તેમને ક્યા ખબર હતી નઘરોળ તંત્રના પાપે તેમને જિંદગીથી હાથ ધોવાનો વારો આવશે.

તંત્રની બેદરકારીની હદ તો એ છે કે ગેમઝોનમાં રહેલા ફાયર સેફ્ટીમા સાધનો માત્ર શોભાના ગાંઠિયા સમાન હોવાનું સામે આવ્યું છે. છેલ્લા કેટલાય સમયથીઆ ગેમઝોન ધમધમે છે અને NOC બાબતે હજુ સુધી કોર્પોરેશનમાં અરજી જ કરાઈ નહોંતી. ત્યારે સવાલ એ પણ છે આજ સુધી તંત્ર દ્વારા પણ કેમ એ બાબતે ચેકિંગ હાથ ધરવામાં ન આવ્યુ ? ક્યા મોટા માથાની રહેમ નજર હેઠળ આ બધુ ચાલી રહ્યુ હતુ તે પણ મોટો સવાલ છે ?

રાજકોટ ગેમઝોનમાં લાગેલી આગની ઘટનામાં સૌપ્રથમ ગેમ ઝોનના ACમાં પ્રચંડ ધડાકો થયો હતો. પ્રચંડ ધડાકા ગેમઝોનમાં ફેલાયો બાદમાં ધૂમાડાના ગોટે ગોટા વળ્યા હતા. આગ અને ધૂમાડા બાદ ગેમઝોનમાં અફરાતફરી સર્જાઇ હતી. જોતજોતામાં આગે ધારણ કર્યું હતું. વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ACમાં શોટસર્કિટ બાદ ફેબ્રિકેશનમાં આગ લાગી હતી. આગ અને ધૂમાડાથી બચવા લોકોમાં નાસભાગ મચી હતી.

રાજકોટમાં નાનામોવા રોડ પર ગેમઝોનમાં લાગેલી ભીષણ આગમાં 24 લોકોના મોત થયા છે. સયાજી હોટલ પાસે TRP ગેમઝોનમાં આગ લાગતા અફરાતફરી મચી હતી. આગની ઘટનામાં 12 બાળકો સહિત 24 લોકોના મોત થયા છે. એક કિમી સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા છે. આગની ઘટનામાં મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...