Sunday, March 15, 2026

અમદાવાદ કમિશ્નરના જાહેરનામામાં સુધારો, કારમાં લાકડી કે સ્ટીક રાખવી હવે ગુનો નથી!

spot_img
Share

અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટે ગંભીર અવલોકન કરતાં અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા હથિયારો રાખવા પર પ્રતિબંધ મૂકતા જાહેરનામામાં સુધારો કરવામાં આવ્યો છે. જેમાં દંડા, લાકડી, સોટી અથવા તો લાઠીનો સમાવેશ કરવામાં આવ્યો નથી. ભવિષ્યમાં પણ હથિયારબંધીના જાહેરનામામાં દંડા, લાકડી, સોટી અથવા તો લાઠી જેવા હથિયારોનો સમાવેશ કર્યા વિના જ જાહેરનામામાં સુધારો કર્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ ગુજરાત હાઈકોર્ટમાં ગત 12મી જૂનના રોજ થયેલી સુનાવણીમાં કોર્ટે અવલોકન કર્યું હતું કે, કોઈપણ વ્યક્તિની કારમાંથી બેઝબોલ રમવાની સ્ટીક મળે એટલે એ વ્યક્તિ ગુનેગાર કેવી રીતે થઈ જાય? અને પોલીસ દ્વારા તેની સામે ગુનો શા માટે દાખલ કરવામાં આવે છે? કોર્ટના આ અવલોકન બાદ પોલીસ કમિશ્નર દ્વારા હથિયારબંધીનું સુધારેલ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અગાઉના જાહેરનામામાં દંડા, તલવાર, ભાલા, સોટી, બંદૂક, ખંજર તથા સામાન્ય રીતે રામપુરી બનાવટવાળા કોઈપણ ચપ્પુ, જે અઢી ઈંચથી વધારે લાંબુ, છેડેથી અણીવાળુ પાનુ હોય તેવા ચપ્પા સાથે રાખી ફરવાની તેમજ લાકડી અથવા લાઠી, શારીરિક ઈજા પહોંચાડવામાં ઉપયોગી થઈ શકે એવી બીજી કોઈ ચીજો લઈ જવાની મનાઈ હોવાનો ઉલ્લેખ કરવામાં આવતો હતો. હવે પોલીસ કમિશ્નરે કોર્ટના અવલોકનને ધ્યાને રાખીને કેટલોક સુધારો કર્યો છે.

અમદાવાદ પોલીસ કમિશ્નરના આ જાહેરનામાંથી એવા લોકોને રાહત મળશે જેમની વિરુદ્ધ આ મામલે અગાઉ ગુનો નોંધાયો હતો. એટલે કે વિદ્યાર્થીઓ સહિત જે નિર્દોષ લોકો પર GP એક્ટ 135 મુજબ ગુનો દાખલ થયો હતો અને આ ગુનો પાસપોર્ટ સહિતની અનેક કાર્યવાહીમાં નડતા હતા એ હવે નહીં થાય.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...