Saturday, March 14, 2026

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં સ્કૂલ વાનચાલકોની હડતાળથી વિધાર્થીઓ-વાલીઓ પરેશાન

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ સહિત ગુજરાતભરમાં મંગળવારથી સ્કૂલ વાહન ચાલક એસોસિએશન દ્વારા હડતાળનો નિર્ણય લેવાયો છે. ટ્રાફિક પોલીસ તેમજ RTO વિભાગ દ્વારા કરવામાં આવતી ખોટી કાર્યવાહીના વિરોધમાં એસોસિએશને હડતાળ પર જવાનો નિર્ણય લીધો છે.અમદાવાદમાં આજે વહેલી સવારે નાઈટ ડ્રેસમાં વાલીઓ બાળકોને સ્કૂલે મૂકવા માટે આવ્યા હતા.એમાંય ખાસ કરીને નોકરિયાત વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. બીજી બાજુ વાન અને રિક્ષા ભાડામાં પણ રૂ. 200 નો વધારો કરવામાં આવ્યો છે..

સ્કૂલ વર્ધી એસોસિયેશનના પ્રમુખ ધર્મેન્દ્ર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે RTO અને રાજ્ય સરકારની નબળાઈના કારણે આજે હડતાળ પાડી છે. છેલ્લા એક વર્ષથી અમે રજૂઆત કરતા હતા પરંતુ નિવેડો ના આવ્યો. રાજકોટની ઘટના બાદ તંત્ર ઓચિંતુ જાગ્યું છે. અમે બાળકોની સુરક્ષા માટે હડતાળ પાડી છે. RTOને વિનંતી કે, અમને થોડો સમય આપવામાં આવે. જે લોકો ગેરકાયદે ચલાવે છે એમની સામે કાર્યવાહી કરો. જ્યાં સુધી અમારી સમસ્યાનું સમાધાન નહીં આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે.

અમદાવાદમાં વાલીઓ પોતાના બાળકોને સ્કૂલે મૂકવા માટે આવ્યા હતા. બીજી બાજુ વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે, વાહનના ભાડામાં રૂ. 200નો વધારો પણ કરવામાં આવ્યો છે. ભાડામાં વધારો કરી વાલીઓ પર મોંઘવારીનો બોજ નાખ્યો છે. પોતાના બાળકોને સ્કૂલ મૂકવા-લેવા અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

હડતાળથી હેરાન થયેલા વાલીઓએ મિર્ચી ન્યુઝ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, બાળકોની સેફટીએ પ્રાયોરિટીમાં હોવી જોઈએ. RTO દ્વારા ચેકિંગ થાય તે યોગ્ય જ છે બાળકોને સ્કૂલે મૂકવા આવવામાં મુશ્કેલી પડી રહી છે પરંતુ બાળકોની સેફટી પણ એટલી જ મહત્વની છે. RTO એ ઝડપથી વાહનોનું ચેકિંગ કરી અને તેઓને પરમિટ ઈશ્યૂ કરવી જોઈએ.

સ્કૂલ વાન અને રિક્ષામાં ફિટનેસ સર્ટિફિકેટ, પાસિંગ, બેસવાની ક્ષમતા અંગે RTO અને ટ્રાફિક દ્વારા સંયુક્ત ડ્રાઈવ યોજવાની હતી, જેને લઈને સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા આજથી અચોક્કસ મુદતની હડતાળની જાહેરાત કરવામાં આવી હતી. હડતાળના પગલે વાલીઓએ પોતાના બાળકોને સ્કૂલે મૂકવા આવવું પડ્યું હતું. નોકરી-ધંધે જતા વાલીઓએ પોતાનો સમય બગાડીને બાળકોને સ્કૂલે મૂકવા આવવું પડ્યું હતું. જેના કારણે વાલીઓ પણ મુશ્કેલીમાં મૂકાયા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...