Tuesday, February 17, 2026

અમદાવાદમાં ભૂવાના ત્રાસમાંથી મળશે છુટકારો? AMCએ શોધ્યો આ રસ્તો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં ચોમાસુ શરુ થાય અને ભુવા પડવાની શરૂઆત થઈ જાય છે. શહેરમાં આ વખતે પણ ચોમાસામાં ઠેરઠેર જગ્યાએ અનેક ભૂવા પડ્યા છે અને ભૂવા પડવાના કારણે અનેક અકસ્માત પણ સર્જાયા છે અને ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સોલ્યુશન શોધી લેવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં ભુવા પડવાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે ડ્રેનેજ પાઈપના ગેસનો નિકાલ કરવા માટે વેન્ટિલેશન પોલ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં શહેરમાં જે ભુવા પડે છે, તેની પાછળ કારણ એ મળ્યું છે કે ડ્રેનેજ લાઈનમાં ગેસ ભરવાના કારણે તેના પ્રેશરના કારણે રોડ પર બ્રેક ડાઉન થાય છે એટલે કે ભુવા પડે છે, ત્યારે હવે એ ડ્રેનેજ પાઈપના ગેસનો નિકાલ કરવા માટે વેન્ટિલેશન પોલ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

આ પોલના માધ્યમથી ગેસનો નિકાલ કરવામાં આવશે એટલે શહેરમાં ભુવા પડવાની સંખ્યા ઘટાડો થશે. મહત્વનું છે કે અગાઉ પણ આ પ્રકારના પોલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ એપાર્ટમેન્ટના લોકો દ્વારા તેનો મોટો વિરોધ કરવામાં આવ્યો હતો અને તેમનું કહેવું હતું કે લોકોના ઘરોમાં આના કારણે દુર્ગંધ આવે છે, જેથી આ પ્રોજેક્ટને તે સમયે પડતો મુકવામાં આવ્યો હતો.

ત્યારે હવે મુખ્ય માર્ગ પર રહેલા ડ્રેનેજ લાઈનના મેન હોલ મારફતે આ ગેસ નિકાલ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના તમામ 7 ઝોનમાં આ પ્રકારના પોલ નાખવામાં આવશે અને દરેક ઝોનમાં 100 જેટલા પોલ ઉભા કરાશે. તમને જણાવી દઈએ કે હાલ 5 ઝોન માટે રૂપિયા 2.5 કરોડનું ટેન્ડર પાસ કરવામાં આવ્યું છે, જ્યારે અન્ય 2 ઝોનનું ટેન્ડર આગામી સમયમાં પાસ કરવામાં આવશે.

જે પોલ લગાવવામાં આવશે તે 12 મીટરના હશે, જેમાં પોલ 2 મીટર અંદર, જ્યારે 10 મીટર ઉપર રાખવામાં આવશે અને તેના માધ્યમથી મિથેન ગેસ બહાર કાઢવામાં આવશે અને પરિણામે શહેરમાં ભૂવા પડવાની સમસ્યામાં ઘટાડો થશે તેવી AMCને આશા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...