Thursday, March 5, 2026

અમદાવાદમાં 15 ઓગસ્ટે બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર યુવક ઝડપાયો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં 15મી ઓગસ્ટના દિવસે બ્લાસ્ટ કરવાની ધમકી આપતો કોલ આવ્યો હતો. આ કોલ આવતા શહેર પોલીસ અને તમામ એજન્સી એક્ટિવ થઈ ગઈ હતી, ત્યારે એક યુવકે અભ્યાસના ભારણના કારણે આ કોલ કર્યાનું સામે આવતા પોલીસે કુબેરનગરથી દબોચીને આરોપીની સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, જ્યાં દેશભરમાં સ્વાતંત્ર્ય પર્વની તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યાં અમદાવાદ શહેર પોલીસને 15 મી ઓગસ્ટના દિવસે જ બૉમ્બ બ્લાસ્ટ કરવાનો ધમકીભર્યો કોલ મળતા જ પોલીસે તરત જ કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસને કોલ મળતાની સાથે જ આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી હતી, ફોન નંબરના આધારે ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતા કુબેરનગર વિસ્તારમાંથી અરહિંત જૈન નામના યુવકને ઝડપવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, અભ્યાસના વધુ પ્રેશરના કારણે યુવક ડિપ્રેશનમાં આવ્યો હતો. જેની માનસિક સ્થિતિ યોગ્ય ન હોવાનું સામે આવ્યું છે. જે યુવકે મજાક મસ્તીમાં કોલ કર્યો હોવાનું સામે આવતા તેની વિરુદ્ધમાં સરદારનગર પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું હતું કે, 15 મી ઓગસ્ટના બૉમ્બ બ્લાસ્ટ કરવાનો ધમકીભર્યો કોલ મળ્યો હતો. આ મામલે તરત જ તપાસ કરવામાં કાંકરિયાના રહેવાસી અરહિંત જૈન નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે. આ યુવક ગ્રેજ્યુએશન કરી રહ્યો છે. તેની પુછપરછ કરતા પ્રાથમિક તારણ સામે આવ્યું છે કે, આ યુવક માનસિક રીતે અસ્વસ્થ છે અને અભ્યાસના પ્રેશરને કારણે આ પ્રકારનો ફોન કર્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...