Sunday, January 18, 2026

અમદાવાદમાં 15 ઓગસ્ટે બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર યુવક ઝડપાયો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં 15મી ઓગસ્ટના દિવસે બ્લાસ્ટ કરવાની ધમકી આપતો કોલ આવ્યો હતો. આ કોલ આવતા શહેર પોલીસ અને તમામ એજન્સી એક્ટિવ થઈ ગઈ હતી, ત્યારે એક યુવકે અભ્યાસના ભારણના કારણે આ કોલ કર્યાનું સામે આવતા પોલીસે કુબેરનગરથી દબોચીને આરોપીની સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, જ્યાં દેશભરમાં સ્વાતંત્ર્ય પર્વની તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યાં અમદાવાદ શહેર પોલીસને 15 મી ઓગસ્ટના દિવસે જ બૉમ્બ બ્લાસ્ટ કરવાનો ધમકીભર્યો કોલ મળતા જ પોલીસે તરત જ કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસને કોલ મળતાની સાથે જ આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી હતી, ફોન નંબરના આધારે ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતા કુબેરનગર વિસ્તારમાંથી અરહિંત જૈન નામના યુવકને ઝડપવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, અભ્યાસના વધુ પ્રેશરના કારણે યુવક ડિપ્રેશનમાં આવ્યો હતો. જેની માનસિક સ્થિતિ યોગ્ય ન હોવાનું સામે આવ્યું છે. જે યુવકે મજાક મસ્તીમાં કોલ કર્યો હોવાનું સામે આવતા તેની વિરુદ્ધમાં સરદારનગર પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું હતું કે, 15 મી ઓગસ્ટના બૉમ્બ બ્લાસ્ટ કરવાનો ધમકીભર્યો કોલ મળ્યો હતો. આ મામલે તરત જ તપાસ કરવામાં કાંકરિયાના રહેવાસી અરહિંત જૈન નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે. આ યુવક ગ્રેજ્યુએશન કરી રહ્યો છે. તેની પુછપરછ કરતા પ્રાથમિક તારણ સામે આવ્યું છે કે, આ યુવક માનસિક રીતે અસ્વસ્થ છે અને અભ્યાસના પ્રેશરને કારણે આ પ્રકારનો ફોન કર્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...