Monday, July 27, 2026

નારણપુરા વિધાનસભાનું કાર્યકર્તા સંમેલન યોજાયું, જાણો કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે શું કહ્યું ?

spot_img
Share

અમદાવાદ : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ બે દિવસની ગુજરાતની મુલાકાતે છે. આજે (18 ઓગસ્ટ) રવિવારે સાંજે અમિત શાહ સુભાષબ્રિજ ખાતે આવેલા બત્રીસી હોલમાં નારણપુરા વિધાનસભાના કાર્યકર્તાઓને મળ્યા હતા અને કાર્યકર્તા સંમેલનને સંબોધિત કર્યું હતું. આ પૂર્વે શાહે નવા વાડજ ખાતે તાલુકા સેવા સદન અંતર્ગત મામલતદાર તેમજ સબ રજિસ્ટ્રાર કચેરી સહિતના લોકસેવા કેન્દ્રનું લોકાર્પણ કરી નિરીક્ષણ કર્યું હતું.

લોકસભાની ચૂંટણી બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નારણપુરા વિધાનસભાના કાર્યકર્તાઓને મળ્યા હતા. તેઓએ સૌ કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો. નારણપુરા વિધાનસભાના કાર્યકર્તા સંમેલનને સંબોધતા શાહે જણાવ્યું હતું કે, આજનો આ કાર્યક્રમ સર્વે કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરવાનો કાર્યક્રમ છે. હું વર્ષો સુધી આ જ વિસ્તારમાં રહ્યો છું અને અહીંથી જ ધારાસભ્ય અને સાંસદ તરીકે ચુંટાયો છું, જે કાર્યકર્તાઓ સાથે કાર્ય કર્યું તે સર્વેને આજે મળવાનો મોકો મળ્યો છે.

અમિત શાહે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની સરકારે નારણપુરા વિસ્તારમાં સર્વાંગી વિકાસ માટે અનેક કાર્યો કર્યા છે સાથે સાથે તેમાં વિધાનસભા ક્ષેત્રના પ્રત્યેક વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સિલરનો તેટલો જ મહત્વનો ફાળો છે, ભાજપાના શાસનમાં વિકાસકાર્યોના ખાતમુહૂર્ત પણ થાય છે અને તેનું લોકાર્પણ પણ થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના હાથ મજબૂત કરવા કમળનું બટન દબાવી મને વિજયી બનાવ્યો તે બદલ આપ સર્વેને કોટી કોટી વંદન કરું છું.

નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતાં ત્યારે તેમણે અમદાવાદના પશ્ચિમ વિસ્તારનો જે રીતે વિકાસ થયો છે તે જ રીતે અમદાવાદના પૂર્વ વિસ્તારનો પણ વિકાસ થવો જોઈએ તેમ કહેલું અને આજે કહેતા ગર્વ થાય છે કે, થોડા જ દિવસ અગાઉ પૂર્વ અમદાવાદમાં જ્યારે હું તિરંગા યાત્રામાં સહભાગી થયો ત્યારે પૂર્વ વિસ્તારના અભૂતપૂર્વ વિકાસનો હું સાક્ષી બન્યો છું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...