Thursday, January 22, 2026

નારણપુરા વિધાનસભાનું કાર્યકર્તા સંમેલન યોજાયું, જાણો કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે શું કહ્યું ?

spot_img
Share

અમદાવાદ : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ બે દિવસની ગુજરાતની મુલાકાતે છે. આજે (18 ઓગસ્ટ) રવિવારે સાંજે અમિત શાહ સુભાષબ્રિજ ખાતે આવેલા બત્રીસી હોલમાં નારણપુરા વિધાનસભાના કાર્યકર્તાઓને મળ્યા હતા અને કાર્યકર્તા સંમેલનને સંબોધિત કર્યું હતું. આ પૂર્વે શાહે નવા વાડજ ખાતે તાલુકા સેવા સદન અંતર્ગત મામલતદાર તેમજ સબ રજિસ્ટ્રાર કચેરી સહિતના લોકસેવા કેન્દ્રનું લોકાર્પણ કરી નિરીક્ષણ કર્યું હતું.

લોકસભાની ચૂંટણી બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નારણપુરા વિધાનસભાના કાર્યકર્તાઓને મળ્યા હતા. તેઓએ સૌ કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો. નારણપુરા વિધાનસભાના કાર્યકર્તા સંમેલનને સંબોધતા શાહે જણાવ્યું હતું કે, આજનો આ કાર્યક્રમ સર્વે કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરવાનો કાર્યક્રમ છે. હું વર્ષો સુધી આ જ વિસ્તારમાં રહ્યો છું અને અહીંથી જ ધારાસભ્ય અને સાંસદ તરીકે ચુંટાયો છું, જે કાર્યકર્તાઓ સાથે કાર્ય કર્યું તે સર્વેને આજે મળવાનો મોકો મળ્યો છે.

અમિત શાહે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની સરકારે નારણપુરા વિસ્તારમાં સર્વાંગી વિકાસ માટે અનેક કાર્યો કર્યા છે સાથે સાથે તેમાં વિધાનસભા ક્ષેત્રના પ્રત્યેક વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સિલરનો તેટલો જ મહત્વનો ફાળો છે, ભાજપાના શાસનમાં વિકાસકાર્યોના ખાતમુહૂર્ત પણ થાય છે અને તેનું લોકાર્પણ પણ થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના હાથ મજબૂત કરવા કમળનું બટન દબાવી મને વિજયી બનાવ્યો તે બદલ આપ સર્વેને કોટી કોટી વંદન કરું છું.

નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતાં ત્યારે તેમણે અમદાવાદના પશ્ચિમ વિસ્તારનો જે રીતે વિકાસ થયો છે તે જ રીતે અમદાવાદના પૂર્વ વિસ્તારનો પણ વિકાસ થવો જોઈએ તેમ કહેલું અને આજે કહેતા ગર્વ થાય છે કે, થોડા જ દિવસ અગાઉ પૂર્વ અમદાવાદમાં જ્યારે હું તિરંગા યાત્રામાં સહભાગી થયો ત્યારે પૂર્વ વિસ્તારના અભૂતપૂર્વ વિકાસનો હું સાક્ષી બન્યો છું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...