Friday, March 13, 2026

ઘાટલોડીયામાં જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કૂલમાં શિક્ષક દિનની અનોખી ઉજવણી, પૂર્વ શિક્ષકોનું સન્માન કરાયું

spot_img
Share

અમદાવાદ : આચાર્ય ચાણક્ય દ્વારા ઉચ્ચારવામાં આવેલ વાક્યની ઝાંખી આપણને ડૉ.સર્વોપલ્લી રાધાકૃષ્ણનના જીવનમાં દેખાય છે. એક મહાન તત્વચિંતક અને સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર શિક્ષક ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને દ્વિતીય રાષ્ટ્રપતિના પદ સુધી પહોંચી રાષ્ટ્રપતિ પદની ગરિમા જાળવી રાખી હતી. તેમજ ભારત દેશના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો હતો. તેવા શિક્ષકની યાદમાં તેમના જન્મદિવસ 5 સપ્ટેમ્બર ના દિવસને શિક્ષકદિન તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે શિક્ષણક્ષેત્રમાં સંકળાયેલાં તમામ શિક્ષકોને શુભકામનાઓ પાઠવવામાં આવે છે, શિક્ષણક્ષેત્રમાં સારી કામગીરી કરનાર શિક્ષકોને સન્માનિત કરવામાં આવે છે. શાળામાં બાળકો એક દિવસ માટે શિક્ષક બને છે, તેઓને પ્રોત્સાહક ઈનામો આપવામાં આવે છે.

પ્રાપ્ત વિગતો મુજબ, શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં ઘાટલોડીયામાં આવેલ જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કૂલમાં શિક્ષક દિનની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ગુરુવંદના સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ ઉપરાંત શાળામાંથી સેવા આપી નિવૃત્ત થયેલા તમામ શિક્ષક મિત્રોને શાળામાં આમંત્રણ આપી તેમનું શાળાના આચાર્ય જાગૃતિબેન પટેલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પુર્વ શિક્ષકોએ પોતાની કર્મભૂમિને વંદન કરીને એકબીજા સાથે મળીને સંસ્મરણોની તાજા કર્યા હતા. નવા શિક્ષક મિત્રોને શાળાના પરિવારનું નામ કઈ રીતે ઉજ્જવળ કરવું તે માટે પ્રેરણા આપવામાં આવી હતી. શાળા મારી તીર્થ ભૂમિ જ્ઞાન ગંગા જ્યાં વહે સૂત્રને સાર્થક કર્યું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...