Wednesday, March 4, 2026

અમદાવાદના આ વિસ્તારમાં બનશે દેશનો સૌથી મોટો મોલ ! સાવ સસ્તામાં મળશે બધુ, મેગા ફૂડ કોર્ટ બનશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કરોડો રૂપિયાના પ્લોટ જાહેર હરાજીથી વેચાણ કરી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવક ઊભી કરવામાં આવી રહી છે. અમદાવાદના ચાંદખેડામાં સૌથી મોંઘો રૂ.520 કરોડનો મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્લોટ લુલુ ઇન્ટરનેશનલ શોપિંગ મોલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને ફાળવવા માટેની દરખાસ્તને મંજૂરી આપવામાં આવશે. લુલુ ગ્રુપ દ્વારા આ જગ્યા પર દેશનો સૌથી મોટો મોલ બનાવાશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આજે મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં શહેરના સૌથી મોંઘા મ્યુનિસિપલ કોર્પોરેશનના જાહેર હરાજી વેચાણ કરવામાં આવેલા રૂ.520 કરોડનો પ્લોટ લુલુ ઇન્ટરનેશનલ શોપિંગ મોલ્સ પ્રાઇવેટ લિમિટેડને સંપૂર્ણપણે પઝેશન આપવાની દરખાસ્ત મૂકવામાં આવી છે.મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ ફાઈનલ પ્લોટ નંબર સાથેના કુલ 66168 (7,12,226 સ્ક્વેર ફૂટ) ચોરસ મીટર પ્લોટ થાય છે. જોકે આ પ્લોટમાં 10672 ચોરસ મીટર જેટલી જગ્યા ખાનગી માલિકીનો ભળતો પ્લોટ હતો.જે પાર્ટ પઝેશન હોવાના કારણે તે સંપૂર્ણપણે પઝેશન આપી શકાય તેમ નહોતું.

અમદાવાદના ચાંદખેડામાં લુલુ ગ્રુપ દ્વારા વિશ્વસ્તરીય સુવિધાઓથી સજ્જ મોલનું નિર્માણ કરવામાં આવશે. લુલુ ગ્રુપે આ વર્ષે વાઈબ્રન્ટ સમિટમાં આની જાહેરાત કરી હતી. આ મોલના નિર્માણમાં લગભગ 4 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. આ દેશનો સૌથી મોટો શોપિંગ મોલ હશે.આ મોલના નિર્માણનું ભૂમિપૂજન નવરાત્રિ દરમિયાન જ કરી શકાશે. હાલમાં, દેશનો સૌથી મોટો શોપિંગ મોલ કેરળના કોચીમાં છે.આ મોલ બનતાં ચાંદખેડાના વિકાસને ચાર ચાંદ લાગી જશે.

હાલમાં આલ્ફા વન અમદાવાદનો સૌથી મોટો મોલ છે. જ્યારે લુલુ ગ્રૂપે વાઇબ્રન્ટ સમિટમાં તેના રોકાણની જાહેરાત કરી ત્યારે જાણવા મળ્યું કે લુલુના આ સૌથી મોટા મોલમાં 300 થી વધુ દેશી અને વિદેશી બ્રાન્ડ્સ ઉપલબ્ધ હશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વાઈબ્રન્ટ અને ક્રિકેટ મેચ ઈવેન્ટ દરમિયાન આ મોલ લોકો માટે મનોરંજનનું નવું કેન્દ્ર બનશે. આ મોલમાં મેગા ફૂડ કોર્ટ બનાવવાની યોજના છે. જેમાં એક સાથે 3000 થી વધુ લોકો બેસીને ગુજરાતી અને અન્ય વાનગીઓની મજા માણી શકશે.

શહેરના એસજી હાઇવે પર સિંધુભવન રોડ, મોટેરા, થલતેજ, શીલજ, વસ્ત્રાલ અને નિકોલ સહિતના વિસ્તારોમાં આવેલા રેસીડેન્સિયલ અને કોમર્શિયલ હેતુ માટેના કુલ 13 પ્લોટ ફરી એકવાર વેચાણ કરવાનો નિર્ણય AMCએ લીધો હતો. આ પ્લોટના વેચાણથી 1156 કરોડની આસપાસની આવક મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઊભી કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...