Thursday, January 22, 2026

અમદાવાદના આ વિસ્તારમાં બનશે દેશનો સૌથી મોટો મોલ ! સાવ સસ્તામાં મળશે બધુ, મેગા ફૂડ કોર્ટ બનશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કરોડો રૂપિયાના પ્લોટ જાહેર હરાજીથી વેચાણ કરી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવક ઊભી કરવામાં આવી રહી છે. અમદાવાદના ચાંદખેડામાં સૌથી મોંઘો રૂ.520 કરોડનો મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્લોટ લુલુ ઇન્ટરનેશનલ શોપિંગ મોલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને ફાળવવા માટેની દરખાસ્તને મંજૂરી આપવામાં આવશે. લુલુ ગ્રુપ દ્વારા આ જગ્યા પર દેશનો સૌથી મોટો મોલ બનાવાશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આજે મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં શહેરના સૌથી મોંઘા મ્યુનિસિપલ કોર્પોરેશનના જાહેર હરાજી વેચાણ કરવામાં આવેલા રૂ.520 કરોડનો પ્લોટ લુલુ ઇન્ટરનેશનલ શોપિંગ મોલ્સ પ્રાઇવેટ લિમિટેડને સંપૂર્ણપણે પઝેશન આપવાની દરખાસ્ત મૂકવામાં આવી છે.મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ ફાઈનલ પ્લોટ નંબર સાથેના કુલ 66168 (7,12,226 સ્ક્વેર ફૂટ) ચોરસ મીટર પ્લોટ થાય છે. જોકે આ પ્લોટમાં 10672 ચોરસ મીટર જેટલી જગ્યા ખાનગી માલિકીનો ભળતો પ્લોટ હતો.જે પાર્ટ પઝેશન હોવાના કારણે તે સંપૂર્ણપણે પઝેશન આપી શકાય તેમ નહોતું.

અમદાવાદના ચાંદખેડામાં લુલુ ગ્રુપ દ્વારા વિશ્વસ્તરીય સુવિધાઓથી સજ્જ મોલનું નિર્માણ કરવામાં આવશે. લુલુ ગ્રુપે આ વર્ષે વાઈબ્રન્ટ સમિટમાં આની જાહેરાત કરી હતી. આ મોલના નિર્માણમાં લગભગ 4 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. આ દેશનો સૌથી મોટો શોપિંગ મોલ હશે.આ મોલના નિર્માણનું ભૂમિપૂજન નવરાત્રિ દરમિયાન જ કરી શકાશે. હાલમાં, દેશનો સૌથી મોટો શોપિંગ મોલ કેરળના કોચીમાં છે.આ મોલ બનતાં ચાંદખેડાના વિકાસને ચાર ચાંદ લાગી જશે.

હાલમાં આલ્ફા વન અમદાવાદનો સૌથી મોટો મોલ છે. જ્યારે લુલુ ગ્રૂપે વાઇબ્રન્ટ સમિટમાં તેના રોકાણની જાહેરાત કરી ત્યારે જાણવા મળ્યું કે લુલુના આ સૌથી મોટા મોલમાં 300 થી વધુ દેશી અને વિદેશી બ્રાન્ડ્સ ઉપલબ્ધ હશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વાઈબ્રન્ટ અને ક્રિકેટ મેચ ઈવેન્ટ દરમિયાન આ મોલ લોકો માટે મનોરંજનનું નવું કેન્દ્ર બનશે. આ મોલમાં મેગા ફૂડ કોર્ટ બનાવવાની યોજના છે. જેમાં એક સાથે 3000 થી વધુ લોકો બેસીને ગુજરાતી અને અન્ય વાનગીઓની મજા માણી શકશે.

શહેરના એસજી હાઇવે પર સિંધુભવન રોડ, મોટેરા, થલતેજ, શીલજ, વસ્ત્રાલ અને નિકોલ સહિતના વિસ્તારોમાં આવેલા રેસીડેન્સિયલ અને કોમર્શિયલ હેતુ માટેના કુલ 13 પ્લોટ ફરી એકવાર વેચાણ કરવાનો નિર્ણય AMCએ લીધો હતો. આ પ્લોટના વેચાણથી 1156 કરોડની આસપાસની આવક મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઊભી કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...