Tuesday, September 16, 2025

હાઉસિંગ બોર્ડના રીડેવલપમેન્ટ પ્લાનમાં જુના અને નવા રહીશોના અલગ અલગ મકાન ફાળવવાનો વ્યાપક વિરોધ

Share

Share

અમદાવાદ : શહેરની હાઉસિંગ બોર્ડની સોસાયટીઓના રીડેવલપમેન્ટના ટેન્ડરમાં હાઉસિંગ બોર્ડના અધિકારીઓની આપખુદશાહી અને કૌભાંડી નીતિના લીધે 2018 થી 2022 સુધી નારણપુરાની એકતા એપાર્ટમેન્ટ સિવાય એકપણ સોસાયટીની રીડેવલપમેન્ટની ગાડી પાટે ચડી નથી. હાઉસિંગ બોર્ડના લેટેસ્ટ રીડેવલપમેન્ટ પ્લાનમાં જુના અને નવા રહીશોના અલગ અલગ મકાન ફાળવવાની નીતિનો વ્યાપક વિરોધ ચારેય બાજુથી થઇ રહ્યો છે.

ગુજરાત હાઉસિંગ વસાહત મંડળ મુજબ 2016 માં સરકારે રીડેવલપમેન્ટ માટે માર્ગદર્શિકા બહાર પાડી, નારણપુરાની બધી અને ગુજરાતની મોટાભાગની તૈયાર છે. નારણપુરાની 17 થી વધુ સોસાયટીઓ અરજીઓ કરી છે. ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ટેન્ડરમાં ફેરફાર કર્યા જેમાં બિલ્ડર દ્વારા જુના અને નવા રહીશોને અલગ અલગ મકાન બનાવી આપશે જેનો વિરોધ અનેક હાઉસિંગના ચેરમેન સેક્રેટરીઓ કરી રહ્યા છે.

ગુજરાત હાઉસિંગ વસાહત મંડળ જણાવે છે કે નારણપુરાની એકતા એપાર્ટમેન્ટની જેમ બાંધકામ, પોલિસી મુજબ રીડેવલપમેન્ટ કરવામાં આવે જેમાં જુના રહીશોને પ્રથમ ફાળવવામાં આવે અને પછી જે વધે એ મકાન વધે એ બિલ્ડર વેચી શકે છે. જો આ મુજબ રીડેવલપમેન્ટ કરવામાં આવે તો નારણપુરાની 17 થી વધુ સોસાયટી સહીત અમદાવાદની અનેક હાઉસીગ સોસાયટીઓમાં જે રીડેવલપમેન્ટ અટક્યું છે તેનો તાત્કાલિક નિકાલ આવે શકે તેમ છે.

હાઉસિંગ બોર્ડના અધિકારીઓ પોતાના મળતિયાઓને ફાયદો થાય એવા ટેન્ડર બનાવે છે જેના કારણે ટેન્ડર જ શક્ય બનતું નથી અને રીડેવલપમેન્ટમાં કોઈ સોસાયટી જતી નથી. હાઉસિંગ બોર્ડ રીડેવલપમેન્ટના ટેન્ડરમાં જુના અને નવા રહીશોના અલગ – અલગ મકાન બનાવવાની શરત રાખી છે જે રહીશોના હિતમાં નથી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...