Sunday, December 14, 2025

હાઉસિંગ બોર્ડના રીડેવલપમેન્ટ પ્લાનમાં જુના અને નવા રહીશોના અલગ અલગ મકાન ફાળવવાનો વ્યાપક વિરોધ

spot_img
Share

અમદાવાદ : શહેરની હાઉસિંગ બોર્ડની સોસાયટીઓના રીડેવલપમેન્ટના ટેન્ડરમાં હાઉસિંગ બોર્ડના અધિકારીઓની આપખુદશાહી અને કૌભાંડી નીતિના લીધે 2018 થી 2022 સુધી નારણપુરાની એકતા એપાર્ટમેન્ટ સિવાય એકપણ સોસાયટીની રીડેવલપમેન્ટની ગાડી પાટે ચડી નથી. હાઉસિંગ બોર્ડના લેટેસ્ટ રીડેવલપમેન્ટ પ્લાનમાં જુના અને નવા રહીશોના અલગ અલગ મકાન ફાળવવાની નીતિનો વ્યાપક વિરોધ ચારેય બાજુથી થઇ રહ્યો છે.

ગુજરાત હાઉસિંગ વસાહત મંડળ મુજબ 2016 માં સરકારે રીડેવલપમેન્ટ માટે માર્ગદર્શિકા બહાર પાડી, નારણપુરાની બધી અને ગુજરાતની મોટાભાગની તૈયાર છે. નારણપુરાની 17 થી વધુ સોસાયટીઓ અરજીઓ કરી છે. ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ટેન્ડરમાં ફેરફાર કર્યા જેમાં બિલ્ડર દ્વારા જુના અને નવા રહીશોને અલગ અલગ મકાન બનાવી આપશે જેનો વિરોધ અનેક હાઉસિંગના ચેરમેન સેક્રેટરીઓ કરી રહ્યા છે.

ગુજરાત હાઉસિંગ વસાહત મંડળ જણાવે છે કે નારણપુરાની એકતા એપાર્ટમેન્ટની જેમ બાંધકામ, પોલિસી મુજબ રીડેવલપમેન્ટ કરવામાં આવે જેમાં જુના રહીશોને પ્રથમ ફાળવવામાં આવે અને પછી જે વધે એ મકાન વધે એ બિલ્ડર વેચી શકે છે. જો આ મુજબ રીડેવલપમેન્ટ કરવામાં આવે તો નારણપુરાની 17 થી વધુ સોસાયટી સહીત અમદાવાદની અનેક હાઉસીગ સોસાયટીઓમાં જે રીડેવલપમેન્ટ અટક્યું છે તેનો તાત્કાલિક નિકાલ આવે શકે તેમ છે.

હાઉસિંગ બોર્ડના અધિકારીઓ પોતાના મળતિયાઓને ફાયદો થાય એવા ટેન્ડર બનાવે છે જેના કારણે ટેન્ડર જ શક્ય બનતું નથી અને રીડેવલપમેન્ટમાં કોઈ સોસાયટી જતી નથી. હાઉસિંગ બોર્ડ રીડેવલપમેન્ટના ટેન્ડરમાં જુના અને નવા રહીશોના અલગ – અલગ મકાન બનાવવાની શરત રાખી છે જે રહીશોના હિતમાં નથી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હોમગાર્ડ જવાન માટે મહત્ત્વની જાહેરાત, નિવૃત્તિ વયમર્યાદામાં 3 વર્ષનો વધારો, 55 વર્ષના બદલે હવે 58 વર્ષે નિવૃત્તિ

ગાંધીનગર : રાજ્યમાં આંતરિક સુરક્ષા, કાયદો વ્યવસ્થા અને વિવિધ કટોકટીની સ્થિતિમાં પોલીસ વિભાગ સાથે મળી કામગીરી કરતા રાજ્યના હજારો હોમગાર્ડ જવાનો માટે રાજ્ય સરકાર...

ગુજરાત સરકારના AI આધારિત પોર્ટલ પર એક ક્લિક પર ઠરાવો, પરિપત્રો સહિત વિગતો મળશે

ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા એક એવુ પોર્ટલ બનાવવામાં આવી રહ્યું છે કે, સરકારની તમામ માહિતીઓ,પરિપત્રો, ઠરાવો એક જ ક્લીકમાં ઉપલબ્ધ બની શકે, પોર્ટલને...

ગુજરાત બોર્ડની બેદરકારી: પહેલા જાહેર રજાના દિવસે પરીક્ષા ગોઠવી, પછી ભુલ સુધારી તારીખ બદલી

ગાંધીનગર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. 4 માર્ચ 2026ના દિવસે ધુળેટીનો જાહેર રજા દિવસ હોવા છતાં...

ગુજરાત પોલીસની અનોખી પહેલને બહોળો પ્રતિસાદ, 18.05 લાખથી વધુ રકમનો દંડ ઓનલાઇન મારફતે ભરાયો

ગાંધીનગર : રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ પેટે દંડની રકમ ભરવાની પ્રક્રિયાને વધુ સરળ અને ડિજિટલ બનાવવા માટે ગુજરાત પોલીસે એક મહત્વપૂર્ણ પહેલ કરી...

CMની સંવેદનશીલતા : એક દીકરીના લગ્નનો પ્રસંગ બગડતો અટકાવવા CMએ પોતાના કાર્યક્રમનું સ્થળ તુરંત બદલી નાખ્યું

જામનગર : વહીવટ વ્યક્તિ લક્ષી મટીને જ્યારે પ્રજાલક્ષી બને છે ત્યારે સરકાર પ્રત્યે પ્રજામાં પણ પોતિકાપણાની ભાવના જાગે છે. આવો જ અભિગમ ગુજરાતના મુખ્ય...

ગુજરાત પોલીસની ટેક-પહેલ: ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્વદેશી ‘Mapmyindia’ સાથે MoU

ગાંધીનગર : ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ (Road Safety & Traffic Management) અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ...

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...