Sunday, November 9, 2025

હાઉસિંગ બોર્ડના રીડેવલપમેન્ટ પ્લાનમાં જુના અને નવા રહીશોના અલગ અલગ મકાન ફાળવવાનો વ્યાપક વિરોધ

spot_img
Share

અમદાવાદ : શહેરની હાઉસિંગ બોર્ડની સોસાયટીઓના રીડેવલપમેન્ટના ટેન્ડરમાં હાઉસિંગ બોર્ડના અધિકારીઓની આપખુદશાહી અને કૌભાંડી નીતિના લીધે 2018 થી 2022 સુધી નારણપુરાની એકતા એપાર્ટમેન્ટ સિવાય એકપણ સોસાયટીની રીડેવલપમેન્ટની ગાડી પાટે ચડી નથી. હાઉસિંગ બોર્ડના લેટેસ્ટ રીડેવલપમેન્ટ પ્લાનમાં જુના અને નવા રહીશોના અલગ અલગ મકાન ફાળવવાની નીતિનો વ્યાપક વિરોધ ચારેય બાજુથી થઇ રહ્યો છે.

ગુજરાત હાઉસિંગ વસાહત મંડળ મુજબ 2016 માં સરકારે રીડેવલપમેન્ટ માટે માર્ગદર્શિકા બહાર પાડી, નારણપુરાની બધી અને ગુજરાતની મોટાભાગની તૈયાર છે. નારણપુરાની 17 થી વધુ સોસાયટીઓ અરજીઓ કરી છે. ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ટેન્ડરમાં ફેરફાર કર્યા જેમાં બિલ્ડર દ્વારા જુના અને નવા રહીશોને અલગ અલગ મકાન બનાવી આપશે જેનો વિરોધ અનેક હાઉસિંગના ચેરમેન સેક્રેટરીઓ કરી રહ્યા છે.

ગુજરાત હાઉસિંગ વસાહત મંડળ જણાવે છે કે નારણપુરાની એકતા એપાર્ટમેન્ટની જેમ બાંધકામ, પોલિસી મુજબ રીડેવલપમેન્ટ કરવામાં આવે જેમાં જુના રહીશોને પ્રથમ ફાળવવામાં આવે અને પછી જે વધે એ મકાન વધે એ બિલ્ડર વેચી શકે છે. જો આ મુજબ રીડેવલપમેન્ટ કરવામાં આવે તો નારણપુરાની 17 થી વધુ સોસાયટી સહીત અમદાવાદની અનેક હાઉસીગ સોસાયટીઓમાં જે રીડેવલપમેન્ટ અટક્યું છે તેનો તાત્કાલિક નિકાલ આવે શકે તેમ છે.

હાઉસિંગ બોર્ડના અધિકારીઓ પોતાના મળતિયાઓને ફાયદો થાય એવા ટેન્ડર બનાવે છે જેના કારણે ટેન્ડર જ શક્ય બનતું નથી અને રીડેવલપમેન્ટમાં કોઈ સોસાયટી જતી નથી. હાઉસિંગ બોર્ડ રીડેવલપમેન્ટના ટેન્ડરમાં જુના અને નવા રહીશોના અલગ – અલગ મકાન બનાવવાની શરત રાખી છે જે રહીશોના હિતમાં નથી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...