Tuesday, January 20, 2026

અમદાવાદીઓ સાવધાન ! સિગ્નલ ન હોય ત્યાં ટ્રાફિકની AI ઇન્ટરસેપ્ટર મેમો આપશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ ટ્રાફિક પોલીસે નવા વર્ષથી ટ્રાફિક વધુને વધુ સરળ બને તે માટે પેટ્રોલિંગ સાથે ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે આધુનિક અભિગમ અપનાવ્યો છે. ટ્રાફિક નિયમભંગ કરતાં વાહન ચાલકોને નશ્યત આપવા AI કેમેરાવાળી પાંચ વાન કાર્યરત કરવામાં આવી છે. આ વાનમાં 14 પ્રકારના ટ્રાફિક નિયમના ભંગ બદલ મેમો બનશે તે વાહન ચાલકના ઘર સુધી પહોંચતો કરવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઘટાડવા તેમજ જીંદગી બચાવી શકાય તે પ્રકારની કાર્યવાહી કરવા માટે ટ્રાફિક પોલીસ સજજ બની છે. હેલ્મેટ પહેરેલી ન હોય, ઓવર સ્પીડ, સ્ટોપલાઈન ભંગ, BRTS રૂટમાં ઘુસવું, નંબર પ્લેટ ન હોય, ટ્રાફિક સિગ્નલ ભંગ, ટ્રિપલ સવારી, ચાલુ વાહને મોબાઈલ ફોન ઉપર વાતચિત, રોંગ સાઈડ ડ્રાઈવિંગ, નો-પાર્કિંગ નિયમ ભંગ, આડેધડ પાર્કિંગ, સીટ બેલ્ટ ન બાંધવો, ફ્રી લેફ્ટ ટર્ન બ્લોક કરવો, કારમાં ડાર્ક ફિલ્મ લગાવવામાં આવી હોય તેવા મુદ્દે પાંચ ઈન્ટરસેપ્ટર ઈ-મેમાં તૈયાર કરશે. વાહન જેના નામે હશે તેના ઘરે મેમો પહોંચતા થશે.

અમદાવાદમાં હાલ 212 સર્કલ ઉપર સીસીટીવી છે. પરંતુ કેમેરા અસરકારક નથી તેવા શીવરંજની, શ્યામલ, સોલા, ગોતા, ઈસ્કોન અને પકવાન સર્કલ તેમજ નાની ગલીઓ, સાંકડા રસ્તા ઉપર AI કેમેરા સાથેની ઈન્ટરસેપ્ટ વાનનો ઉપયોગ કરવામાં આવશે.

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, શહેર ટ્રાફિક પોલીસની AI ઈન્ટરસેપ્ટરવાન પેટ્રોલિંગ કરવા સાથે જ ટ્રાફિક સમસ્યા સર્જતા વાહનોને કેમેરામાં કેદ કરવા સાથે ઈ-મેમો તૈયાર કરવાની કામગીરી AI ઈન્ટેલિજન્સ ધરાવતા કેમેરાથી કરશે. ટ્રાફિક પોલીસ અને RTO તંત્રના સંકલનથી તમામ વાહનોના ડેટા સાથેનો એક પ્રોગ્રામ બનાવવામાં આવ્યો છે. નિયમ ભંગ કરતાં વાહનના નંબરના આધારે આ પ્રોગ્રામથી AI ઈન્ટરસેપ્ટર ફોટો કેપ્ચર કરીને કન્ટ્રોલ રૂમના સર્વરને મોકલશે તે સાથે જ ઈ-મેમો બની જશે.

સૂત્રોના જણાવ્યનુસાર, શહેર ટ્રાફિક પોલીસ પાસે 5 ઈન્ટરસેપ્ટર વાન છે, તેમાં કેમેરા તો લગાવેલાં છે. ઈન્ટરસેપ્ટર વાન પેટ્રોલિંગની કામગીરી કરતી હોય છે અને ટ્રાફિક જામ થાય ત્યાં પહોંચી જાય છે. ટ્રાફિક જામ સર્જતા મુખ્ય ચાર રસ્તા કે આંતરિક રસ્તાઓ ઉપર પણ ઈન્ટરસેપ્ટરના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને ટ્રાફિક સરળ બનાવશે. આ ઉપરાંત ટ્રાફિક જામનું મુળ બનતાં વાહનચાલકોને નશ્યત રૂપે ઈ-મેમો આપવાની કાર્યવાહી આ વર્ષથી પૂર્ણરૂપે અમલી બનાવવામાં આવનાર છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...