Wednesday, January 21, 2026

અમદાવાદની આ 22 માળની ઈમારતના આઠમા માળે લાગી ભયાનક આગ, એક મહિલાનું મોત, 200 નું રેસ્ક્યૂ કરાયું

spot_img
Share

અમદાવાદ : શુક્રવારે મોડી રાતે શહેરના બોપલ વિસ્તારમાં આવેલી એક બિલ્ડિંગમાં રાત્રે આગ લાગવાનો બનાવ બન્યો હતો. બોપલમાં આવેલી ઈસ્કોન પ્લેટિનમ નામની બિલ્ડિંગમાં એમ બ્લોકના આઠમા માળે આગ લાગી હતી. રાત્રે 22 માળના બિલ્ડીંગમાં આગ લાગતાં અફરાતફરી સર્જાઇ હતી. ઘટનાને પગલે ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. સોસાયટીના અનેક સભ્યોને ધુમાડાના કારણે શ્વાસ રુંધાયા હતા. જેમણે તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. આ આગમાં 56 વર્ષીય મહિલા મીના શાહનું મોત નિપજ્યું છે. તો આગમાં ફસાયેલા 200 લોકોને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યૂ કરાયું હતું.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના બોપલમાં આવેલી ઈસ્કોન પ્લેટિનમ ઈમારતના M બ્લોકના આઠમાં માળે શુક્રવારે મોડી રાતે આગ લાગી હતી. આ આગને કારણે એક મહિલાએ જીવ ગુમાવ્યો. 56 વર્ષીય મીના શાહનું આગથી મોત નિપજ્યું છે. આગ લાગ્યા બાદ ગણતરીની મિનિટોમાં આગ 21 માં માળ સુધી પ્રસરી હતી. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ બુઝાવી હતી. ઘરમાં ફસાયેલા લોકોને બચાવવા રેસ્ક્યૂ હાથ ધરાયું હતું. ધુમાડાના કારણે કેટલાક લોકોના શ્વાસ રૂંધાતા તેમને હૉસ્પિટલ ખસેડાયા. લગભગ, ફાયર વિભાગે 200 જેટલા લોકોનું રેસ્ક્યૂ કર્યું હતું.

બિલ્ડિંગના ડક્ટમાં આગ લાગતા ઝડપથી પ્રસરી હતી. આગમાં દાઝલા લોકોને નજીકની ત્રણ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. જેમાં એક મહિલાની હાલત ગંભીર થતા ICU માં સારવાર હેઠળ છે. હાલ ઇસ્કોન પ્લેટિનમના M બ્લોકને અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. આગમાં 56 વર્ષીય મીના શાહનું મોત નિપજ્યું છે. તો 10-12 વર્ષીય બાળકી પણ સારવાર હેઠળ છે. આ ઉપરાંત એપાર્ટમેન્ટના રહીશોમાંથી 30-40 લોકો સારવાર હેઠળ છે. બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ ઘટનામાં ટેલિફોનિક વાતમાં સમગ્ર ઘટનાનો તાગ મેળવ્યો હતો. મુખ્યમંત્રીએ તમામ જરૂરીયાત પુરી કરવાની ખાતરી પણ આપી હતી. દેવ દિવાળીએ ફટાકડાને કારણે આ આગ લાગી હોવાની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

મોડી રાતે અમદાવાદ શહેરમાં આગના જુદા જુદા બનાવ બન્યા હતા. બોપલની ઈસ્કોન પ્લેટિનમ રહેણાંક બિલ્ડીંગ ઉપરાંત મોટેરામાં પણ આગનો બનાવ બન્યો હતો. AMC ના એસ્ટેટ વિભાગના ખુલ્લા પ્લોટમાં આગનો બનાવ બન્યો હતો. દબાણ હટાવ કામગીરી અંતગત કબ્જે લેવાયેલો મોટો માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો. સદનસીબે આગના બાનવોમાં કોઈ જાનહાની થઈ ન હતી. ફટાકડાના કારણે આગ લાગતા મોડીરાતે ફાયરબ્રિગેડે આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...