Thursday, January 15, 2026

અમદાવાદમાં આ યુવકો દ્વારા અનોખું સેવાકાર્ય, પિતાની છત્રછાયા ગુમાવનાર 21 દીકરીઓના લગ્ન કરાવી કર્યું કન્યાદાન

spot_img
Share

અમદાવાદ: શહેરના નરોડાના તુલસી ક્યારો સમિતિ ગ્રૂપના યુવકોએ પિતાની છત્રછાયા ગુમાવનારી 21 દીકરીનું પિતા બની કન્યાદાન કરાવ્યું હતું. ઉપરાંત, આશીર્વાદની સાથે સાથે ઘરવખરીનો પૂરો સામાન તથા સોના-ચાંદીની ભેટ સોગાદ પણ આપવામાં આવી હતી. નોંધનીય છે કે, છેલ્લા પાંચ વર્ષથી આ ગ્રૂપ દ્વારા પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીઓના લગ્ન ડિસેમ્બર મહિનામાં કરાવવામાં આવે છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના નરોડામાં તુલસી ક્યારો સમિતિના યુવકોનું ગ્રુપ સારા આશયથી છેલ્લા પાંચ વર્ષથી પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીઓના લગ્ન કરાવે છે. જેમાં નરોડામાં રહેતા યુવકોએ પિતાની છત્રછાયા ગુમાવનાર સર્વજ્ઞાતિની દીકરીઓના લગ્ન કરવાનો વિચાર કર્યો હતો. બાદમાં તેમના વિચારોને જોડવા માટે તેમણે તુલસી ક્યારો નામનું એક ગ્રુપ બનાવ્યું હતું.

આ વર્ષે પણ રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં પિતા અથવા માતાની છત્રછાયા ગુમાવનાર દીકરીઓના લગ્નની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં 21 જેટલી દીકરીઓના લગ્ન કરવાનું બીડું આવતા આ ગ્રુપ દ્વારા અનેક દાતાઓ થકી 21 દીકરીઓને તેમના પિતાની જેમ ઉમંગ ભર્યા લગ્ન કરાવ્યા. આ વર્ષે લગ્નમાં પટેલ યુવક દ્વારા ક્રિશ્ચન યુવતીએ તેના પરિવારની સહમતિથી હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ મુજબ લગ્નની તૈયારી બતાવતા જોડાને સામેલ કરવામાં આવ્યું હતું.

નરોડામાં રહેતા યુવકોએ પિતાની છત્રછાયા ગુમાવનાર સર્વજ્ઞાતીની દીકરીઓના લગ્ન કરવાનો વિચાર કર્યો હતો. બાદમાં તેમના વિચારોને અમલમાં મૂકવા માટે તેમણે તુલસી ક્યારા નામનું ગ્રૂપ બનાવ્યું. જેમાં વર્ષ 2019ના નવેમ્બર મહિનામાં પિતાની છત્રછાયા ગુમાવનાર 8 છોકરીનાં લગ્ન કરાવ્યા હતા. પછી સતત ત્રીજા વર્ષે પણ તુલસી ક્યારો સમિતિ સમૂહ લગ્ન ગ્રૂપ દ્વારા માતા અથવા પિતાની છત્રછાયા ગુમાવનાર તમામ જ્ઞાતિની 21 દીકરીના લગ્ન કરાવ્યા હતા. જેમાં 2 હજારથી વધુ લોકોનો જમણવાર ગોઠવાયો હતો.

આ અંગે તુલસી ક્યારો સમિતિના જગત પટેલ, હરિસિંહ વાઘેલા, આશિષ પટેલ, તારીખ પરીખ, તુષાર પટેલની ટીમ દ્વારા જણાવ્યું હતું કે, આ વખતે પણ દર વર્ષની જેમ એનાસણ ગામમાં આવેલા શાંતમ પાર્ટી પ્લોટમાં લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માંડવા મુહૂર્તથી લઈને તમામ ધાર્મિક વિધિ કરવામાં આવી હતી અને યુવકોએ દીકરીના પિતા બનીને કન્યાદાન પણ કર્યું હતું.

સાથે જ દીકરીઓને તિજોરી, સોના-ચાંદીના દાગીના સહિતની તમામ વસ્તુઓ ભેટ-લોગાદ અને આશિર્વાદ સ્વરૂપે આપવામાં આવ્યા હતા. ગ્રુપના સભ્યોના જણાવ્યા પ્રમાણે દર વર્ષે નવેમ્બર- ડિસેમ્બર મહિનામાં આ રીતે પિતાની છત્રછાયા ગુમાવનાર સર્વજ્ઞાતિની 21 દીકરીઓના લગ્ન કરાવવામાં આવે છે.આ ગ્રુપ દ્વારા પિતાની છત્રછાયા ગુમાવનાર કોઈ પણ જ્ઞાતિની દીકરીઓને લગ્ન કરવાની જવાબદારી હાથ લેવામાં આવે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...