Wednesday, March 11, 2026

અમદાવાદમાં આ યુવકો દ્વારા અનોખું સેવાકાર્ય, પિતાની છત્રછાયા ગુમાવનાર 21 દીકરીઓના લગ્ન કરાવી કર્યું કન્યાદાન

spot_img
Share

અમદાવાદ: શહેરના નરોડાના તુલસી ક્યારો સમિતિ ગ્રૂપના યુવકોએ પિતાની છત્રછાયા ગુમાવનારી 21 દીકરીનું પિતા બની કન્યાદાન કરાવ્યું હતું. ઉપરાંત, આશીર્વાદની સાથે સાથે ઘરવખરીનો પૂરો સામાન તથા સોના-ચાંદીની ભેટ સોગાદ પણ આપવામાં આવી હતી. નોંધનીય છે કે, છેલ્લા પાંચ વર્ષથી આ ગ્રૂપ દ્વારા પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીઓના લગ્ન ડિસેમ્બર મહિનામાં કરાવવામાં આવે છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના નરોડામાં તુલસી ક્યારો સમિતિના યુવકોનું ગ્રુપ સારા આશયથી છેલ્લા પાંચ વર્ષથી પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીઓના લગ્ન કરાવે છે. જેમાં નરોડામાં રહેતા યુવકોએ પિતાની છત્રછાયા ગુમાવનાર સર્વજ્ઞાતિની દીકરીઓના લગ્ન કરવાનો વિચાર કર્યો હતો. બાદમાં તેમના વિચારોને જોડવા માટે તેમણે તુલસી ક્યારો નામનું એક ગ્રુપ બનાવ્યું હતું.

આ વર્ષે પણ રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં પિતા અથવા માતાની છત્રછાયા ગુમાવનાર દીકરીઓના લગ્નની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં 21 જેટલી દીકરીઓના લગ્ન કરવાનું બીડું આવતા આ ગ્રુપ દ્વારા અનેક દાતાઓ થકી 21 દીકરીઓને તેમના પિતાની જેમ ઉમંગ ભર્યા લગ્ન કરાવ્યા. આ વર્ષે લગ્નમાં પટેલ યુવક દ્વારા ક્રિશ્ચન યુવતીએ તેના પરિવારની સહમતિથી હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ મુજબ લગ્નની તૈયારી બતાવતા જોડાને સામેલ કરવામાં આવ્યું હતું.

નરોડામાં રહેતા યુવકોએ પિતાની છત્રછાયા ગુમાવનાર સર્વજ્ઞાતીની દીકરીઓના લગ્ન કરવાનો વિચાર કર્યો હતો. બાદમાં તેમના વિચારોને અમલમાં મૂકવા માટે તેમણે તુલસી ક્યારા નામનું ગ્રૂપ બનાવ્યું. જેમાં વર્ષ 2019ના નવેમ્બર મહિનામાં પિતાની છત્રછાયા ગુમાવનાર 8 છોકરીનાં લગ્ન કરાવ્યા હતા. પછી સતત ત્રીજા વર્ષે પણ તુલસી ક્યારો સમિતિ સમૂહ લગ્ન ગ્રૂપ દ્વારા માતા અથવા પિતાની છત્રછાયા ગુમાવનાર તમામ જ્ઞાતિની 21 દીકરીના લગ્ન કરાવ્યા હતા. જેમાં 2 હજારથી વધુ લોકોનો જમણવાર ગોઠવાયો હતો.

આ અંગે તુલસી ક્યારો સમિતિના જગત પટેલ, હરિસિંહ વાઘેલા, આશિષ પટેલ, તારીખ પરીખ, તુષાર પટેલની ટીમ દ્વારા જણાવ્યું હતું કે, આ વખતે પણ દર વર્ષની જેમ એનાસણ ગામમાં આવેલા શાંતમ પાર્ટી પ્લોટમાં લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માંડવા મુહૂર્તથી લઈને તમામ ધાર્મિક વિધિ કરવામાં આવી હતી અને યુવકોએ દીકરીના પિતા બનીને કન્યાદાન પણ કર્યું હતું.

સાથે જ દીકરીઓને તિજોરી, સોના-ચાંદીના દાગીના સહિતની તમામ વસ્તુઓ ભેટ-લોગાદ અને આશિર્વાદ સ્વરૂપે આપવામાં આવ્યા હતા. ગ્રુપના સભ્યોના જણાવ્યા પ્રમાણે દર વર્ષે નવેમ્બર- ડિસેમ્બર મહિનામાં આ રીતે પિતાની છત્રછાયા ગુમાવનાર સર્વજ્ઞાતિની 21 દીકરીઓના લગ્ન કરાવવામાં આવે છે.આ ગ્રુપ દ્વારા પિતાની છત્રછાયા ગુમાવનાર કોઈ પણ જ્ઞાતિની દીકરીઓને લગ્ન કરવાની જવાબદારી હાથ લેવામાં આવે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...