Wednesday, January 14, 2026

અમદાવાદ પોલીસે 5 દિવસના નાઈટ કોમ્બિંગમાં 50 લાખથી વધુનો દંડ ફટકાર્યો, 7425 લોકોને મેમો

spot_img
Share

અમદાવાદ : શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડતા ગુનાખોરી વધી રહી હતી, જેને લઇને ગૃહ વિભાગના આદેશ બાદ પોલીસ દ્વારા નાઈટ કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. 5 દિવસના નાઈટ કોમ્બીંગ દરમિયાન પોલીસે વાહન ચેકીંગ, પ્રોહિબિશન કેસ,જુગારના કેસ,જૂના ગુનેગારો અને હિસ્ટ્રી સીટરોને તપાસ્યા હતા.પોલીસે 5 દિવસમાં 7425 મેમો આપીને 52.89 લાખના દંડની વસૂલાત કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેર પોલીસ દ્વારા ગત 25 નવેમ્બરથી 29 નવેમ્બર દરમિયાન નાઈટ કોમ્બીંગ શરૂ કરવામાં આવ્યું હતી. 5 દિવસના કોમ્બીંગ દરમિયાન 82,508 વાહન ચેક કરવામાં આવ્યા હતા. 7425 વાહનચાલકોને મેમો આપીને 52,89,750 રૂપિયાનો મેમો આપવામાં આવ્યો હતો. એમવી એક્ટ મુજબ 3,992 વાહન ડીટેન કરવામાં આવ્યા છે. 1016 પ્રોહિબિશનના કેસ કરવામાં આવ્યા છે અને 16 જુગારના કેસ કરવામાં આવ્યા છે. મિલકત સંબંધિત આરોપી અંગે તપાસ કરવામાં આવી હતી, જેમાં 1228 આરોપીઓને તપાસવામાં આવ્યા હતા. દુષ્કર્મના અને જુગારના અગાઉના 349 આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી.

​​​​​​​શહેરમાં 25 નવેમ્બરથી પોલીસે નાઈટ કોમ્બીંગ કર્યું હતું, જેમાં પોલીસ કમિશનર,જેસીપી, એસીપી, પીઆઈ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચ અને SOGની ટીમ પણ હાજર રહી હતી. તમામ ટીમ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારમાં કોમ્બીગ કરીને કાર્યવાહી કરવામાં આવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...