Sunday, January 18, 2026

અમદાવાદની IKDRC કિડની હોસ્પિટલમાં હોબાળો, સતત બીજા દિવસે ઉમેદવારોના ધરણાં

spot_img
Share

અમદાવાદ : અમદાવાદની કિડની હોસ્પિટલમાં સ્ટાફ નર્સ ભરતી જાહેર થઈ હતી. હવે તેમાં ઘટાડો કર્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે, ઇન્સ્ટિટયૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC) જેવી સંસ્થા કાયમી સ્ટાફ માટે જાહેરાત બહાર પાડે છે. એક વર્ષે પરીક્ષા લેવાય 6 મહિના બાદ પરિણામ જાહેર થાય અને પરીક્ષાના બાદ નીમણુંક આપવાની વાત આવે અને પછી જાહેર કરેલ જગ્યાઓમાં ઘટાડો કરવામાં આવતા ઉમેદવારોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.આ મામલે અમદાવાદ સિવિલ મેડિસિટીની કિડની હોસ્પિટલ બહાર ઉમેદવારો ધરણાં પર બેઠ્યા છે અને જાહેર કરેલ તમામ જગ્યા વગર કટોતી ભરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, એપ્રિલ 2023 માં અમદાવાદની IKDRC કિડની હોસ્પિટલમાં એપ્રિલ 2023માં 31 કેડરની કુલ 1156 પોસ્ટની ભરતી જાહેર કરાઈ હતી. જેમાં તમામ કેડરની પરીક્ષા યોજવામાં આવ્યું હતું. જેનું મેરીટ જાહેર થયા બાદ કેટલાક કેડરના ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયું હતું અને કેટલાક કેડરની અનુગામી પ્રક્રિયા ચાલુ હતી. હાલ એવું જાણવા મળ્યું છે કે, સ્ટાફ નર્સની દર્શાવેલી જગ્યા 650 છે. આ પોસ્ટ માંથી 400નો ઘટાડો કરવામાં કરાશે.

જેથી ઉમદવારોમાં સત્તાધીશોની લાલિયાવાડી સામે ઉમેદવારોમાં રોષ વ્યાપ્યો છે. સતત બીજા દિવસે ભરતીને લઈ આંદોલન ઉમેદવારો અમદાવાદ સિવિલ મેડિસિટીની કિડની હોસ્પિટલ બહાર ઉમેદવારોનાં ધરણાં પર બેઠ્યા છે. તેમજ બે દિવસના વિરોધ બાદ પણ કોઈ અધિકારીએ યોગ્ય ઉત્તર આપ્યો ન હોવાનું ઉમેદવારો જણાવી રહ્યા છે.

સતત બીજા દિવસે ભરતીને લઈ આંદોલન ઉમેદવારો અમદાવાદ સિવિલ મેડિસિટીની કિડની હોસ્પિટલ બહાર ઉમેદવારોનાં ધરણાં પર બેઠ્યા છે. તેમજ બે દિવસના વિરોધ બાદ પણ કોઈ અધિકારીએ યોગ્ય ઉત્તર આપ્યો ન હોવાનું ઉમેદવારો જણાવી રહ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...