Thursday, January 15, 2026

અમદાવાદીઓ ચેતી જજો, હવેથી નિયમ ભંગ AI ઇન્ટરસેપ્ટરથી ઘરે આવી જશે મેમો, કરાયું ડેશકેમ પ્રોજેક્ટનું લોન્ચિંગ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા અને ટ્રાફિક નિયમન બાબતે મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં અમદાવાદમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરવુ હવે ભારે પડશે. અમદાવાદ પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન બાબતે મહત્વનો પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે.દુબઇની જેમ AI આધારિત ડેશકેમ દ્વારા અમદાવાદમાં પણ ટ્રાફિકના નિયમનો ભંગ કરનાર વાહન ચાલકોને ચલણ આપવામાં આવશે. ગાડીમાં લાગેલા કેમેરામાં નિયમો ભંગ કરનાર કેદ થશે. શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિકના હસ્તે અમદાવાદમાં આ પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિકના હસ્તે AI આધારિત ડેશકેમ પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે.આ અંતર્ગત ઈન્ટરસેપ્ટર વાહનોમાં મોબાઈલ કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. મોબાઈલ કેમેરામાં ટ્રાફિક નિયમન ભંગ બદલ તે વિડ્યો કેપ્ચર થયા બાદ કંટ્રોલ રૂમ મેમો જનરેટ કરશે.રોંગસાઇડ, હેલ્મેટ, સીટ બેલ્ટ સહિતના ટ્રાફિકના નિયમોના ભંગ બદલ અમદાવાદમાં AI ડેશકેમ દ્વારા ચલણ આપવામાં આવશે. વાહનમાં લાગેલા કેમેરામાં કેદ થનાર ચાલકોને ચલણ આપવામાં આવશે. અત્યાર સુધી 29 ગાડીમાં આ કેમેરા લગાવવામાં આવ્યા છે. 31 કેમેરા ટ્રાફિક પોલીસને આપવામાં આવ્યા છે.

AI ડેશકેમ વાયોલેશનને શોધી કાઢ છે અને પુરાવા આપોઆપ રેકોર્ડ કરે છે.AI ડેશકેમ ટ્રાફિક ફ્લોનું રીયલ ટાઇમ મોનીટરિંગ કરવા ટ્રાફિક અધિકારીઓને ટ્રાફિકની વાસ્તવિક સ્થિતિ ઉપર દેખરેખ રાખવા તેમજ ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરનારાઓનું દસ્તાવેજીકરણ પણ કરે છે.

અમદાવાદ શહેરમાં વાહનોમાં વધારો થવાની સાથે સાથે અકસ્માતમાં પણ વધારો થયો છે. અમદાવાદ પોલીસ દ્વારા અવાર નવાર ટ્રાફિકના નિયમો અંગે જાગૃતિના કાર્યક્રમ કરવામાં આવે છે તેમ છતાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન થાય છે. આ સમસ્યાના સમાધાન માટે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા દુબઇની જેમ જ AI ડેશકેમથી ચલણ સિસ્ટમ અપનાવવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...