Sunday, January 18, 2026

આંબલી-બોપલમાં બેફામ કાર ચલાવનાર નબીરા પર મોટું એક્શન, આરોપીનું ડ્રાઇવિંગ લાઇસન્સ રદ્દ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં બોપલ આંબલી વિસ્તારમાં નશાની હાલતમાં સર્જેલા અકસ્માતમાં કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ આરટીઓ દ્વારા નશાની હાલતમાં કાર હંકારીને અકસ્માત સર્જનાર આરોપી રિપલ પંચાલનું ડ્રાઈવિંગ લાયસન્સ કાયમી ધોરણે રદ કરવામાં આવ્યું છે. થોડા દિવસ પહેલા રિપલ પંચાલે દારૂનો નશો કરીને બેફામ રીતે કાર હંકારીને અકસ્માત સર્જ્યો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, તાજેતરમાં અમદાવાદના આંબલી બોપલ રોડ નબીરાએ સર્જ્યો અકસ્માત હતો. ઓડી કાર ચાલકે 4થી 5 વાહનોને લીધા અડફેટે. નબીરાઓ અનેક બાઈકોને કચડ્યા હતા. નશામાં ધૂત અને સિગારેટ પીને ચલાવી રહ્યો હતો કાર. આટલું કર્યા બાદ પણ નબીરાના તેવર ઓછા થયા ન હતા. તેણે ગાડીમાં જ બેસીને લોકોની સામે સિગારેટના દમ માર્યા હતા. સ્થાનિક લોકોએ કહ્યું કે, તે ફુલ પીધેલો હતો.’ અકસ્માતને પગલે ભારે પગલે અફરાતફરી મચી હતી. જોકે ત્યાર બાદ સ્થાનિકોએ આ યુવકને પકડીને મેથીપાક પણ ચખાડ્યો હતો. અકસ્માત સર્જનાર યુવક રીપલ પંચાલની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી અને ગુનો પણ નોંધ્યો હતો.જોકે, આ અકસ્માતના 24 કલાકમાં જ આરોપીને જામીન મળી ગયા હતા.

અમદાવાદના બોપલ આંબલી રોડ પર 25મી નવેમ્બરના સવારે ઓડીના કારચાલક રીપલ પંચાલે નશાની હાલતમાં 5થી 7 વાહનોને અડકેટે લીધા હતા. ત્યારબાદ પોલીસે તેની અટકાયત કરી હતી. ત્યારે 26મી નવેમ્બરના રોજ રીપલને કોર્ટમાં રજૂ કરતાં 15 હજાર રૂપિયાના શરતી જામીન આપવામાં આવ્યા હતા અને એક દિવસ પોલીસની કસ્ટડીમાં રાખ્યા બાદ તેને કોર્ટમા રજૂ કરવામાં આવ્યો હતો. જો કે કોર્ટે પણ તેને જામીન આપી દીધા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...